________________
જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર
* ૧૫૭ તેમાંથી પિતાની શક્તિ પ્રમાણે નિયમ સ્વીકારે છે. મુનિદીક્ષાના સંપૂર્ણ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવા અસમર્થ અને છતાં તેવી પ્રતિજ્ઞાના આદર્શને પસંદ કરી તે દિશામાં પ્રગતિ કરવા ઈચ્છનાર ઉમેદવાર ગૃહસ્થ પિતાપિતાની શક્તિ અને રુચિ પ્રમાણે એ ઓગણપચાસ પ્રકારોમાંથી કેઈ ને કોઈ જાતના બ્રહ્મચર્યને નિયમ લઈ શકે તેવી વિવિધ પ્રતિજ્ઞાઓ જૈન શાસ્ત્રો પૂરી પાડે છે. આ રીતે વાસ્તવિક અને આદર્શ બ્રહ્મચર્યમાં ભેદ ન હોવા છતાં વ્યાવહારિક જીવનની દૃષ્ટિએ તેના સ્વરૂપની વિવિધતા જૈન શાસ્ત્રોમાં બહુ વિસ્તારપૂર્વક વર્ણવવામાં આવી છે.
સર્વબ્રહ્મચર્ય તે નવે પ્રકારનું બ્રહ્મચર્ય અને દેશબ્રહ્મચર્ય તે આંશિક બ્રહ્મચર્ય. તેનું વધારે સ્વરૂપ આ પ્રમાણે છે : મન, વચન અને શરીર એ પ્રત્યેક દ્વારા સેવવું, સેવરાવવું અને સેવનની અનુમતિ આપવી એ નવે કેટીથી સર્વ બ્રહ્મચારીને કામાચારનો ત્યાગ હોય છે. સાધુ કે સાધ્વી તે સંસારનો ત્યાગ કરતાં જ એ નવે કોટીના પૂર્ણ બ્રહ્મચર્યનો નિયમ લે છે અને ગૃહસ્થ પણ તેને અધિકારી થઈ શકે છે. પૂર્ણ બ્રહ્મચર્યની એ નવે કેટી ઉપરાંત એ પ્રત્યેક કોટીને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા પણ છે. એ દરેક મર્યાદા ક્રમશઃ આ પ્રમાણે છે: કોઈ પણ સજીવ કે નિર્જીવ આકૃતિઓ સાથે ન કાટીથી કામાચારને નિષેધ એ દ્રવ્યમર્યાદા. ઉપરનો લેક, નીચેને લેક અને તિર છે લેક એ ત્રણેમાં નવે કાટીએ કામાચારનો ત્યાગ એ ક્ષેત્રમર્યાદા. દિવસે, રાત્રીએ કે એ સમયના કોઈ ભાગમાં એ જ નવે કટીથી કામાચારનો નિષેધ એ કાળમર્યાદા. અને રાગ કે દ્વેષથી એટલે માયા, લેભ, ષ કે અહંકારના ભાવથી કામાચારનો નવે કેટથી ત્યાગ એ ભાવમર્યાદા. આંશિક બ્રહ્મચર્યને અધિકારી ગૃહસ્થ જ હોય છે. એને પોતાના કુટુંબ ઉપરાંત સામાજિક જવાબદારી હોય છે, અને પશુપક્ષીના પાલનની પણ ચિંતા હોય છે. એટલે એને વિવાહ કરવા-કરાવવાના પ્રસંગો અને પશુ-પક્ષીને ગર્ભાધાન કરાવવાના પ્રસંગે આવ્યા જ કરે છે. આ કારણથી ગૃહસ્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org