SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા ૧૩૧ એને જોઈને પ્રયત્ન કરવા છતાં એને ખળતું બચાવી ન શકે તે એ શું કરશે? છેવટે તે એ ખીજું બધું બળતું મૂકીને પેાતાની જાતને બચાવી લેવાના. આધ્યાત્મિક જીવનના ઇચ્છુકની આવી જ સ્થિતિ હેાય છે. એ નિરર્ણાંક દેહને નાશ નહીં કરે; શાસ્ત્ર નિષેધ કર્યો છે; ઊલટું દેહની રક્ષાને કવ્યરૂપ માનેલ છે, પરંતુ તે સંયમને માટે. છેવટે ખીજો કાઈ રસ્તા ન હોય એવી લાચાર પરિસ્થિતિ આવી પડે ત જ, ઉપર જણાવેલી શરતા સાથે, દેહને નાશ સમાધિમરણ છે અને અહિંસા પણ; નહીં તો એ બાલમરણ અને હિંસા. ભયંકર દુષ્કાળ વગેરે જેવા તંગીના સમયમાં દેહરક્ષાને માટે સંયમથી પતિત થવાનેા અવસર આવે કે નિશ્ચિતપણે મરણુ નિપજાવનારા રાગાને લીધે પેાતાની જાતને અને ખીજાઓને નિરર્થક હેરાનગતિ થતી હાય અને એમ કરવા છતાં સંયમ કે સદ્ગુણની રક્ષા થવાને સંભવ ન હોય ત્યારે, કેવળ સંયમ અને સમભાવની દષ્ટિએ, સંથારાનું વિધાન કરવામાં આવ્યું છે, જેમાં એકમાત્ર સૂક્ષ્મ આધ્યાત્મિક જીવનને જ અચાવવાનું ધ્યેય છે. જ્યારે ગાંધીજી વગેરે પ્રાણાંત અનશનની વાત કરે છે અને મશરૂવાળા વગેરે એનું સમર્થન કરે છે, ત્યારે એની પાછળ આ દૃષ્ટિબિંદુ જ મુખ્ય છે. હિંસા નહી' પણ આધ્યાત્મિક વીરતા આમાં હિંસાની કાઈ ગધ સરખી પણ નથી. આ વિધાન તે એ વ્યક્તિને માટે છે કે જે કેવળ આધ્યાત્મિક જીવનની ઉમેદવાર હાય, અને એ માટે સ્વીકારેલી સત્પ્રતિજ્ઞાઓના પાલનમાં નિરત હોય. આવા જીવનના અધિકારી પણ અનેક પ્રકારના થતા રહ્યા છે. એક તો એ કે જેણે જિનકલ્પના સ્વીકાર કર્યો હોય, જે આજે વિચ્છિન્ન થયેા છે. જિનકલ્પી ફક્ત એકલા જ રહે છે અને કાઈ પણ રીતે કાઈની સેવા નથી લેતા. એને માટે જીવનની અંતિમ ઘડીઓમાં કાઈની સેવા લેવાને પ્રસંગ ન આવે એટલા માટે એ જરૂરી થઈ પડે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy