SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મને પ્રાણ ધ્યાન તે કેવળ પિતાના સંયત જીવનને બચાવવા તરફ અને સમભાવની રક્ષા કરવા તરફ જ રહેશે. જ્યાં સુધી દેહ અને સંયમ, એ બનેની સમાન રીતે રક્ષા થઈ શકે ત્યાં સુધી બન્નેની રક્ષા કરવી જોઈએ. પણ એકની જ પસંદગી કરવાનો સવાલ ઊભો થાય ત્યારે આપણું જેવા દેહરક્ષાને પસંદ કરશે અને આધ્યાત્મિક સંયમની ઉપેક્ષા કરશે; જ્યારે સમાધિમરણને અધિકારી એથી ઊલટું જ કરશે. દૈહિક અને આધ્યાત્મિક, એ બન્નેય જીવન તે છે, પણ જે જેનો અધિકારી હોય છે, તે કસોટીના વખતે એને જ પસંદ કરે છે. અને આવી જ આધ્યાત્મિક જીવનવાળી વ્યક્તિને માટે પ્રાણાંત અનશનની અનુજ્ઞા છે; પામર, ભયભીત કે લાલચુઓને માટે નહીં. આથી સમજી શકાશે કે પ્રાણાંત અનશન, દેહરૂપી ઘરનો નાશ કરીને પણ, દિવ્ય જીવનરૂપ પિતાના આત્માને પડતો બચાવી લે છે. એટલા માટે એક તાત્ત્વિક દષ્ટિએ, સાચા અર્થમાં અહિંસક જ છે. દેહનો નાશ એ આત્મઘાત ક્યારે?–ટીકાકારેને જવાબ જે લેખકે આવા સંથારાને આત્મઘાતરૂપે વર્ણવે છે, તેઓ એના હાર્દને પામી શકાય એટલો વિચાર નથી કરતા. પણ જે કોઈ અતિ ઉચ્ચ ઉદ્દેશથી પ્રેરાઈને, કોઈના પર રાગદ્વેષ રાખ્યા વગર, સંપૂર્ણ મૈત્રીભાવપૂર્વક અને પ્રસન્ન ચિત્તે, બાપૂ–ગાંધીજી જેવું, પ્રાણાંત અનશન કરે, તો પછી એ જ લેખકે એ મરણની પ્રશંસા કરવાના, એને ક્યારેય આત્મઘાત નહીં કહેવાના, કારણ કે આવી વ્યક્તિનો ઉદ્દેશ અને જીવનકમ એ લેખકોની નજર સામે છે; જ્યારે જૈન પરંપરામાં સંથારો કરવાવાળા ભલે શુભ આશયથી પ્રેરાયેલા કેમ ન હોય, છતાં એમનો ઉદ્દેશ અને જીવનક્રમ એમને એ રીતે સુવિદિત નથી. પરંતુ શાસ્ત્રનું વિધાન છે એ જ દષ્ટિએ છે, અને એને અહિંસા સાથે પૂરેપૂરે સુમેળ પણ છે. આ સમજવા માટે એક દાખલો લઈએ. જે કોઈ વ્યક્તિ પિતાના આખા ઘરને બળતું ન અને વિધાન એક દાખલો જા સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy