SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ મહિસા ૧૨૯ હતી અને અત્યારે પણ છે—ભલે પછી એ મરણ ધર્મને નામે હાય કે સાંસારિક કાઈ કારાથી હાય. જેવી રીતે પશુ વગેરેના વધ ધમરૂપે પ્રચલિત હતા એવી જ રીતે આત્મવધ પણ પ્રચલિત હતા, અને કયાંક કયાંક તે અત્યારે પણ એ પ્રચલિત છે—ખાસ કરીને શિવની કે શક્તિની સન્મુખ. એક તરફ આવી પ્રથાઓને નિષેધ કરવા અને બીજી તરફ પ્રાણાંત અનશન કે સંચારાનું વિધાન કરવું, આ વિરાધ જરૂર વિમાસણમાં નાખી દે એવા છે. પણ મૂળ ભાવ સમજાતાં એમાં કાઈ વિરાધ નથી રહેતા. જૈનધમે જે પ્રાણુનાશના નિષેધ કર્યો છે, તે પ્રમાદ કે આસક્તિપૂર્ણાંક કરાતા પ્રાણુનાશના જ. કાઈ હલૌકિક કે પારલૌકિક સ`પત્તિની ઈચ્છાથી, કામિનીની કામનાથી અને ખીજા અભ્યુદયની વાંછાથી, ધ બુદ્ધિએ અનેક પ્રકારના આત્મવધ થતા રહ્યા છે. જૈનધમ કહે છે કે એ આત્મવધ હિંસા છે, કારણ કે એનુ' પ્રેરક તત્ત્વ કાઈ ને કાઈ પ્રકારના આસક્તભાવ છે. પ્રાણાંત અનશન અને સંથા। પણ જો એ જ ભાવથી કે ભય યા લાભથી પ્રેરાઈને કરવામાં આવે તે એ પણ હિં'સા જ છે. એને કરવાની જૈનધમ આજ્ઞા નથી આપતા. જે પ્રાણાંત અનશનનુ વિધાન કરવામાં આવ્યું છે, એ તો છે સમાધિમરણ. જ્યારે દેહ અને આધ્યાત્મિક સદ્ગુણુ–સયમ, એમાંથી એકની જ પસંદગી કરવાના વિષમ સમય આવી પડે ત્યારે, એ વ્યક્તિ જે સાચેસાચ ધર્મને પ્રાણુંરૂપ લેખતી હશે તે તે દેહરક્ષાની પરવા નહી” કરે; એ તો કેવળ પેાતાના દેહને ભાગ આપીને પણ પેાતાની વિશુદ્ધ આધ્યાત્મિક સ્થિતિને બચાવી લેશે—જેવી રીતે કાઈ સાચી સતી, પેાતાના સતીત્વને બચાવવાના ખીજો કાઈ રસ્તા ન જોતાં, પોતાના દેહને નાશ કરીને પણ એને બચાવી લે છે. પણ એવી અવસ્થામાં પણ એ વ્યક્તિ ન કાઈના ઉપર ગુસ્સે થશે કે ન કાઈ રીતે ભયભીત થશે, અથવા ન કાઈ સગવડ જોઈ ને પ્રસન્ન થશે. એનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy