SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા ૧૨૧ એ ઈતિહાસમાં અજોડ છે. કુમારપાળની “અમારિ–ઘોષણ” એટલી જોકપ્રિય બની કે એની પછીના અનેક નિર્ચ અને એમના અનેક ગૃહસ્થ-શિષ્ય અમારિ ઘોષણાને પિતાના જીવનનું ધ્યેય બનાવીને જ કામ કરવા લાગ્યા. આચાર્ય હેમચંદ્રની પહેલાં કેટલાય નિ એ માંસ ખાનારી જાતિઓને અહિંસાની દીક્ષા આપી હતી, અને નિગ્રંથ સંધમાં એસવાલ, પિરવાળ વગેરે વર્ગોની સ્થાપના કરી હતી. શક વગેરે પરદેશી જાતિઓ પણ અહિંસાના ચેપથી બચી શકી ન હતી ! હીરવિજયસૂરિએ અકબર જેવા ભારતસમ્રાટ પાસેથી ભિક્ષા માં એટલું જ માગ્યું કે એ, હમેશાંને માટે નહીં તે છેવટે ખાસ ખાસ તિથિઓ માટે, અમારિ ઘોષણું કરે. અકબરના એ પગલે પગલે જહાંગીર વગેરે એના વંશજો ચાલ્યા. જેઓ જન્મથી જ માંસભક્ષક હતા, એવા મુગલસમ્રાટો દ્વારા અહિંસાનો આટલે ફેલાવો કરાવવો, એ આજે પણ સહેલું નથી. આજે પણ, આપણે જોઈએ છીએ કે, જૈન સમાજ જ એ છે કે જે બની શકે ત્યાં સુધી જુદાં જુદાં ક્ષેત્રમાં થતી પશુ-પક્ષી વગેરની હિંસાને અટકાવવાનો સતત પ્રયત્ન કરતો રહે છે. આ વિશાળ દેશમાં જુદી જુદી જાતના સંસ્કારો ધરાવતી અનેક જાતિઓ પાસે પાસે રહે છે, અનેક જાતિઓ જન્મથી જ માંસભક્ષી છે; આમ છતાં જ્યાં જુઓ ત્યાં અહિંસા તરફ તે લેકરુચિ દેખાય જ છે. મધ્યયુગમાં એવા અનેક સંતો અને ફકીર થઈ ગયા, કે જેઓએ કેવળ અહિંસા અને દયાને જ ઉપદેશ આપ્યો છે, જે ભારતના આત્મામાં અહિંસાનાં મૂળ કેટલાં ઊંડાં ગયેલાં છે એની સાક્ષી પૂરે છે. મહાત્મા ગાંધીજીએ ભારતમાં નવજીવનના પ્રાણ ધબકતા કરવાને સંકલ્પ કર્યો તે એ કેવળ અહિંસાની ભૂમિકા ઉપર જ. જે એમને અહિંસાની ભાવનાનું આવું તૈયાર ક્ષેત્ર ન મળ્યું હતું કે તેઓ ભાગ્યે જ આટલા સફળ થયા હોત. [દઔચિં૦ નં૦ ૨, પૃ. ૭૫-૭૮ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy