________________
૧૦૨
જૈનધર્મને પ્રાણ આવ્યા છે, જે ગુણસ્થાનને નામે ઓળખાય છે.
ગુણસ્થાન-ગુણ એટલે આત્માની ચેતના, સમ્યત્વ, ચારિત્ર, વીય આદિ શક્તિઓ. સ્થાન એટલે તે શકિતઓની શુદ્ધતાની તરતમભાવવાળી અવસ્થાઓ. આત્માના સહજ ગુણે વિવિધ આવરણથી સંસારદશામાં આવૃત છે. જેમ જેમ આવરણની વિરલતા કે ક્ષયનું પ્રમાણ જેટલું વિશેષ તેટલી ગુણની શુદ્ધિ વિશેષ અને આવરણની વિરલતા કે ક્ષયનું પ્રમાણ જેટલું ઓછું તેટલી ગુણોની શુદ્ધિ ઓછી. આ રીતે આત્મિક ગુણની શુદ્ધિના પ્રકર્ષ કે અપકર્ષવાળા અસંખ્યાત પ્રકારે સંભવે છે, પણ સંક્ષેપમાં તેને ચૌદ ભાગમાં વહેંચી નાખેલા છે, જે ગુણસ્થાન કહેવાય છે. ગુણસ્થાનની કલ્પના મુખ્યતયા મેહનીય કમની વિરલતા અને ક્ષયને આધારે કરવામાં આવી છે. મોહનીય કમની મુખ્ય બે શકિતઓ છે. પહેલી શક્તિનું કાર્ય આત્માના સમ્યક્ત્વ ગુણને આવૃત કરવાનું છે, જેથી આત્મામાં તાત્વિક રુચિ કે સત્યદર્શન થવા પામતું નથી. બીજી શક્તિનું કાર્ય આત્માના ચારિત્રગુણને આવૃત કરવાનું છે, જેથી આત્મા તાવિક ચિ કે સત્યદર્શન થયા છતાં પણ તદનુસાર પ્રવૃત્તિ કરી સ્વરૂપલાભ કરી શકતા નથી. સમ્યક્ત્વની પ્રતિબંધક એવી મોહનીયની પ્રથમ શક્તિ દર્શનમોહનીય અને ચારિત્રની પ્રતિબંધક એવી મેહનીયની બીજી શકિત ચારિત્રમેહનીય કહેવાય છે. આ બેમાં દર્શનમોહનીય પ્રબળ છે, કારણ કે
જ્યાં સુધી તેની વિરલતા કે ક્ષય ન થાય ત્યાં સુધી ચારિત્રમેહનીયનું બળ ઘટતું નથી. દર્શનમોહનીયનું બળ ઘટયું એટલે ચારિત્રમેહનીય ક્રમે ક્રમે નિર્બળ થઈ છેવટે સર્વથા ક્ષીણ થવાનું જ. સમસ્ત કર્મવરણમાં પ્રધાનતમ અને બલવત્તમ મોહનીય જ છે. તેનું કારણ એ છે કે જ્યાં સુધી મેહનીયની શક્તિ તીવ્ર હોય ત્યાં સુધી અન્ય આવરણો તીવ્ર જ રહે છે અને તેની શક્તિ ઘટતાં જ અન્ય આવરણનું બળ મંદ થતું જાય છે. આ જ કારણથી ગુણસ્થાનની કપના મેહનીય કર્મના તરતમભાવને આધારે કરવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org