________________
જૈન તત્ત્વજ્ઞાન
જીવનશેાધનની જૈન પ્રક્રિયા
જૈન દર્શન કહે છે કે આત્મા સ્વાભાવિક રીતે શુદ્ધ અને સચ્ચિદાન દરૂપ છે. એનામાં જે અશુદ્ધિ, વિકાર યા. દુઃખરૂપતા દેખાય છે તે અજ્ઞાન અને મેહંના અનાદિ પ્રવાહને આભારી છે. અજ્ઞાનને ઘટાડવા અને તદ્દન નષ્ટ કરવા તેમ મેાહના વિલય કરવા જૈન દર્શન એક બાજુ વિવેકશક્તિ વિકસાવવા કહે છે અને ખીજી બાજુ તે રાગદ્વેષના સંસ્કારા નષ્ટ કરવા કહે છે. જૈન દર્શન આત્માને ત્રણ ભૂમિકાએમાં વહેંચી નાખે છે. જ્યારે અજ્ઞાન અને મેહનું પૂ પ્રાબલ્ય હાય અને તેને લીધે આત્મા વાસ્તવિક તત્ત્વ વિચારી ન શકે તેમ જ સત્ય ને સ્થાયી સુખની દિશામાં એક પણ પગલું ભરવાની ઇચ્છા સુધ્ધાં ન કરી શકે, ત્યારે એ અહિરાત્મા કહેવાય છે. જીવની પ્રથમ ભૂમિકા થઈ. આ ભૂમિકા હોય ત્યાં સુધી પુનર્જન્મનું ચક્ર બંધ પડવાને કદી સભવ જ નથી અને લૌકિક દૃષ્ટિએ ગમે તેટલા વિકાસ દેખાય છતા ખરી રીતે એ આત્મા અવિકસિત જ હેાય છે.
зул
વિવેકશક્તિના પ્રાદુભ વ જ્યારે થાય અને રાગદ્વેષના સંસ્કારાનું બળ ઘટવા માંડે ત્યારે બીજી ભૂમિકા શરૂ થાય છે. એને જૈન દર્શન અંતરાત્મા કહે છે. આ ભૂમિકા વખતે જોકે દેહધારણને ઉપયાગી એવી બધી દુન્યવી પ્રવૃત્તિ એછીવત્તી ચાલતી હેાય છે, છતાં વિવેકશક્તિના વિકાસના પ્રમાણમાં અને રાગદ્વેષની મંદતાના પ્રમાણમાં એ પ્રવ્રુત્તિ અનાસક્તિવાળી હોય છે. આ બીજી ભૂમિકામાં પ્રવૃત્તિ હોવા છતાં તેમાં અંતરથી નિવૃત્તિનું તત્ત્વ હોય છે.
૯૧
ખીજી ભૂમિકાનાં સંખ્યાબંધ ચડતાં પગથિયાં જ્યારે વટાવી દેવાય ત્યારે આત્મા પરમાત્માની દશાને પ્રાપ્ત થયા કહેવાય છે. આ જીવનસાધનની છેલ્લી ભૂમિકા અને પૂર્ણ ભૂમિકા છે.1જૈન દર્શીન કહે છે આ ભૂમિકાએ પહોંચ્યા પછી પુનર્જન્મનું ચક્ર હંમેશને માટે તદ્દન થંભી જાય છે.
કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org