SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ ભાવના આપત્તિના વખતમાં ટેકા આપે છે. ઉત્સવમાં, વ્યસન( દુઃખ )માં, દુકાળમાં, યુદ્ધમાં, રાજ્યદ્વારમાં અને સ્મશાનમાં જે પડખે ઊભે રહે તે બધુ કહેવાય. उत्सवे व्यसने चैव, दुर्भिक्षे शत्रुविग्रहे । राज्यद्वारे स्मशाने च यस्तिष्ठति स बांधवः ॥ 2 આ જાણીતા નીતિના Àાક પણ એ જ વાત જણાવે છે. જેને કાઈના આશરા નહાય તેને એ આશરા-ટકાસહાય આપે છે. ધર્મના પ્રતાપથી અણુધારી જગ્યાએથી અને ખરે અણીને વખતે સહાય મળી આવે છે. જ્યારે સર્વ દિશાએ શૂન્ય જણાય ત્યારે ભયંકર વાદળની અંદરના ભાગમાં એક રૂપેરી પાતળી આશાના કિરણવાળી રોશની દેખાય છે તે ધર્મ છે. એના આશ્વાસનથી પ્રાણી ટકે છે, જીવે છે અને જીવતા નર અનેક ભદ્રો ( કલ્યાણા ) પ્રાપ્ત કરે છે. આવી રીતે એ અસહાયની સહાય કરનાર છે. ४७ જે એના ત્યાગ કરે છે તે આ અતિ જિટલ ભવાટવીમાં રખડી પડે છે અને માર્ગ ન મળવાથી ભૂલેા પડી ચારે તરફ્ ગાંડાની માફ્ક આંટા માર્યા કરે છે. પછી એ તિય ચામાં જાય, જનાવર અને, એકેદ્રિયમાં ચાલ્યું જાય અને એમ ઉપર-નીચે આંટા માર્યા જ કરે છે. ધર્મને તજનારનુ અવ્યવસ્થિત અત્યારના જીવનમાં સાધ્યવિહીન જીવન વિચારવામાં આવે તે એના પત્તા કાં લાગશે એ જાણતાં કમકમાટી આવે તેમ છે. જ્યાં ધર્મનું હાસ્ય કરવામાં રસ પડતા હોય, ધર્માનુષ્ઠાનને નબળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy