SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી•શાંતસુધારસ પ્રાણીના અંતે વિજય કેમ ન થાય ? કદાચ ધીરજ રાખવી પડે, પણુ અંતે ધર્મના જ ડંકા જરૂર વાગે. 30 એ ધર્મ આખા જગતનુ રક્ષણ કરવા તૈયાર રહે છે. એને જ્ઞાતિ, જાતિ, ગાત્ર, કુળ કે ચામડીના રંગ સાથે સંબંધ નથી. એના વિશાળ ક્ષેત્રમાં આખા જગતના સમાવેશ થાય છે. આ મુદ્દા પર આ પુસ્તકમાં મૈત્રી ભાવના( ૧૩મી )માં વિશેષ વિચારણા થશે. માતા–પિતા, પુત્ર, ભાઈ વિગેરે અહિત માટે પણ કોઇ વખતે પ્રયત્ન કરે છે, એમ આ Àાકમાં કહ્યું છે. ત્યાં સ્વહિતાય અર્થ પણ શકય છે, એમાં પણ જ્યારે સ્વાર્થવૃત્તિ આવી જાય છે ત્યારે પ્રાણી સંઅંધ ભૂલી જાય છે. સ્વાર્થ અંધ છે અને કોઇ વાર અહિત માટે-નુકસાન કરવા માટે પણ આપત્તિના વખતમાં કામ કરે છે, એ પણ અનુભવની વાત છે. ભાઇએ લડે ત્યારે ગેાળાના પાણી હરામ થાય છે. ન્યાયમંદિરમાં એવા અનેક ઝગડા આવે છે. કહેવાની મતલબ અહી એ છે કે ચારે તરફ આફ્તનાં વાદળાં અનેક પ્રકારે ચઢી આવ્યાં હાય તેવે વખતે ધર્મ જ સહાય કરે છે. ૪. ૬. ધર્મના પ્રભાવથી હ્યુજી મળે છે તે પર લંબાણુ પત્રક આવતા àાકમાં આવવાનુ છે. ત્યાં ધર્મના અર્થ પૂર્વ પુણ્ય-પાછળના વખતમાં કરેલી સારી કમાણી સમજાય છે. અને ધર્મના એ વ્યવહારુ દષ્ટિએ સાદા ખ્યાલ છે. જ્યારે આપણે ઘેર લીલાલહેર હાય છે, ખાવાપીવાની વિપુળતા હાય છે, પૈસાની કમાણી સારી હોય છે ત્યારે આપત્રુને આખી દુનિયા સુંદર લાગે છે. જ્યારે માખી મડવા લાગે છે ત્યારે વાતાવરણ ઊડ ઊડ લાગે છે. એ સર્વ વ્યક્તિગત દ્રષ્ટિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy