SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ ભાવન્ના લખી આ અતિ ઉપયોગી આકર્ષક વિષય છોડી દઈએ. તે સ્વાધ્યાય નીચે પ્રમાણે છે. રે જીવ! જિન ધર્મ કીજિયે, ધર્મના ચાર પ્રકાર; દાન શિયળ તપ ભાવના, જગમાં એટલું સાર. રે જીવ ! ૧. વરસ દિવસને પારણે, આદીશ્વર સુખકાર; શેલડી રસ વહોરાવીઓ, શ્રી શ્રેયાંસકુમાર. રે જીવ! ૨. ચંપાદ્વાર ઉઘાડવા, ચારણીએ કાઢયાં નીર; સતી સુભદ્રાએ જ લહ્યો, શિયળ સુરનર ધીર. રે જીવ! ૩. તપ કરી કાયા શાષવી, સરસ વિરસ આહાર; વીર જિjદ વખાણુઓ, ધન ધનો અણગાર. રે જીવ!. અનિત્ય ભાવના ભાવતાં, ધરતાં ધરમનું ધ્યાન; ભરત આરિલાભુવનમાં. પામ્યા કેવળજ્ઞાન. રે જીવ ! પ. ધર્મવૃક્ષ સુરતર સમે, જેહની શીતળ છાંય; સમયસુંદર કહે સેવતાં, મનવાંછિત ફળ થાય. રે જીવ! ૬. (મારા સ્મરણમાં છે તે પ્રમાણે આ લખેલ છે.) એમાંના પ્રત્યેક ઉદાહરણ વિચારી દાન, શિયળ તપ અને ભાવને ઓળખવાની આવશ્યકતા છે. એ સર્વનું વિવેચન અત્રે કરવું સ્થળની નજરે શક્ય નથી. સર્વ કેઈએ આ ચારે પ્રકારને ખૂબ સમજવા-વિચારવા લાગ્યા છે અને માત્ર વિચારીને ન અટકતાં તેને સત્વર અમલ કર્તવ્ય છે. આવી રીતે ચાર પ્રકારનો ધર્મ શ્રી વીતરાગ દેવે જગતના જીના હિતને માટે બતાવ્યો છે. એ ચાર પ્રકારમાં વિશિષ્ટતા એ છે કે એ ધનવાન કે ગરીબ બાળ કે વૃદ્ધ, સશક્ત કે અશક્ત ભણેલા કે અભણ સર્વ કઈ આચરી શકે છે અને પિતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy