SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશાંતસુધારસ : અહીં ભાષા ઉપરના લેખકશ્રીનેા કાબૂ બહુ સુંદર રીતે રજૂ કર્યા છે અને તેના કારણમાં જણાવે છે કે જે નવીન વ્યાકરણુ બનાવનાર હાય તે આવુ સ્પષ્ટ ભાષાકાશલ્ય અતાવે, એમના પ્રયાગમાં વિભક્તિ, સંધિ કે સમાસને દોષ ન આવે એ સર્વ ચિત છે. આ ટાંચણમાંથી એક બીજી વાત પણ નીકળે છે, અને તે એ છે કે લેખકશ્રીએ અહીં જે છટ્ઠા વાપર્યા છે તે ગુર્જર ભાષાને ઉચિત છે. આ મુદ્દા પર આગળ વિવેચન થશે. વિચારની સ્પષ્ટતા— ગ્રંથકર્તો પાતાનેા આખા વિષય સારી રીતે સમજતા હતા. એમના વિચારમાં સ્પષ્ટતા હતી, સાધ્યસન્મુખતા હતી અને પેાતાના વિષયને છણવાની તેમનામાં આવડત હતી. કાવ્ય કે ચિરત્ર લખનારને તા વાચનારને કે શ્રોતાને શૃંગાર વિગેરે રસેામાં લઇ જવાનુ હાર્ટ પેાતાના વિષયને ઝળકાવવાનું કા પ્રમાણમાં સહેલું બને છે, પણ અનિત્યતા બતાવવાની કે એકત્વ, અન્યત્વ અતાવવાની વાત કરવી જ અરુચિકર હાય છે અને સાંભળવી તે તેથી પણ વધારે અરુચિકર અને બહુધા અપ્રિય હાય છે. ગ્રંથકર્તાએ પેાતાના વિચારો ખૂબ નિČળ કર્યો છે અને પછી કલમ હાથમાં લઈને ખૂબ દીપાવ્યા છે તેમાં તેમની વિચારસ્પષ્ટતા છે. ઘણી વાર લેખક પાતે શું કહેવા માગે છે તેને તેને પેાતાને જ શરૂઆતથી પૃથક્કરણપૂર્વક સ્પષ્ટ ખ્યાલ હાતા નથી. એમ થાય ત્યારે ભારે અસ્તવ્યસ્તતા અને અન્યવસ્થિતતા આખા ગ્રંથમાં દેખાય છે. એવું આ આખા ગ્રંથમાં નજરે પડે તેમ નથી. ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy