SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ૮ શ્રી શાંતસુધારસ ૩. ઉપર જણાવેલી વાત અહીં જુદા આકારમાં કહે છે. તદ્દન શુદ્ધ હિતબુદ્ધિથી સાચા હિતના માર્ગે લાવવાને ઉપદેશ અથવા સલાહ તું કેઈને આપ અને તે માણસ તે સાંભળે નહિ, સાંભળે તે તેને તે રુચે નહિ અને રુચે તે પણ તે પ્રમાણે વર્તવાને તારી પાસે વિચાર બતાવે નહિ. આ સર્વ બનવાજોગ છે. આવા સગોમાં પણ તું તારા મન ઉપર કાબુ ખાઈ નાખ નહિ. તે સાચી સલાહ આપીને તારી ફરજ બજાવી, પણ પછી એથી આગળ જવાને તારે અધિકાર નથી. સામે મનુષ્ય તારી વાત સાંભળે નહિ એટલે તારાથી તેના ઉપર કેપ કેમ થાય ? એ રીતે તું તારી જાતને નકામી દુઃખી બનાવે છે. ગુસ્સે થવાથી તારું માનસિક સુખ તું બગાડી મૂકે છે. મનની સ્થિરતા એ આત્માનું સુખ છે, ચંચળ મન એ આત્માનું દુઃખ છે. તારે તારા ઉપદેશનાં પરિણામે તરફ શા માટે જેવું જોઈએ? તું તારા અધિકારની બહાર જાય છે એને ખ્યાલ કરજે. પ્રથમ તો તારો ઉપદેશ અમેઘ કે અપ્રતિપાતી (infaltible) હોય એમ ધારવાનું તારે કારણ નથી. બીજું સામા પ્રાણુને વિકાસ સદગુણુક્રમારેહમાં એટલે વધી શકે તે છે કે નહિ તેનું તને જ્ઞાન નથી. સામા પ્રાણીની દુર્નિવાર પરિસ્થિતિના ઘણાં કારણે હાઈ શકે. કેટલીક વાર વય, અનુભવની કચાશ આદિ પણ કારણે હોય છે. ગમે તેમ હોય પણ તારે એ સંગમાં અસ્વસ્થ થઈ જવું કોઈ રીતે ચગ્ય નથી. બીજું તારે એ વિચારવાનું છે કે એવા પ્રકારને તારે સંતાપ નિષ્ફળ છે. એમ ધાર કે તેં સભા સમક્ષ સત્ય બોલવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy