SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ પ્રભેદભાવના ત્યાગ છે તેટલે જ ટ્રેષને ત્યાગ છે. મીઠું બંધન રાગ છે તેથી તેની મુખ્યતા કહી છે, પણ દ્વેષ તેના જેટલો જ અગત્યનો ભાગ સંસારભ્રમણ વધારવામાં ભજવે છે તેથી આપણે તેમને વીતદ્વેષ” પણ સાથે જ ગણીએ તે તેથી આપણે મુદ્દો બરાબર જળવાશે. તેઓ કેવા છે તે વિચારી જઈએ. ક પિકી મોહનીય કર્મ ખુબ આત્મમલીનતા કરે છે અને આત્માના આખા દશ્યને બગાડી નાખે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મ દશ્યની આડે ઘરણ કરે છે. ઉપરાગ એટલે મલીનતા અથવા ઘરણુ-ગ્રહણ. આત્મદર્શન ઉપર ચડી ગયેલ મલીનતાને વીતરાગનો વિકસિત ચેતનરામ ક્ષપદ્મણીને માગે દૂર કરે છે. સાતમા ગુણસ્થાનક પછી બે પ્રકારની શ્રેણી મંડાય છે: ક્ષપક અને ઉપશમ. ક્ષપકશ્રેણીવાળે આત્મા કર્મોને કાપતો જાય છે, ઉપશમશ્રેણવાળ કર્મોને દબાવત જાય છે. ક્ષપકશ્રેણવાળે કર્મનો ક્ષય કરી આગળ વધતું જાય છે, ઉપશમવાળ ખરી પ્રગતિ સાધી શકતું નથી અને અગિયારમે ગુણઠાણે જઈને પડી જાય છે. શ્રી વીતરાગ દેવ ક્ષપકશ્રેણીને માગે લઈને કર્મોની મલીનતા દૂર કરે છે. ઘાતકર્મોને કાપી નાખે છે અને બાકીનાં કર્મોને લુખાં કરી મૂકે છે. ગંધહસ્તી ચાલે ત્યારે એની ગંધથી બીજા હાથીઓ દૂર નાસી જાય છે. તીર્થકર દેવ વિહાર કરે તે પ્રદેશમાંથી મહામારી, દુકાળ, રોગ વિગેરે ઉપદ્રવ દૂર થઈ જાય છે તેથી વીતરાગ ગંધહસ્તી સમાન છે. તીર્થકર મહારાજને આત્મા પૂર્વ ભવમાં ખૂબ વિકાસ સાધીને આવ્યા હોય છે, તેથી એમને પર ઉપદેશની જરૂર પડતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy