SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર – . મૈત્રી – ચેગનું એક સુપ્રસિદ્ધ સૂત્ર છે કે અહિંસા તિયાં તરનિધી ચૈત્યાન: (૨–૩૫) એટલે એક પ્રાણુમાં જ્યારે અહિંસા બરાબર જામી ગઈ હોય, એ સિદ્ધ થઈ ગઈ હોય ત્યારે એની આસપાસના વાતાવરણમાં પણ વેરનો ત્યાગ પ્રવર્તે છે. કહેવાની વાત એ છે કે એ પ્રાણ પિતે હિંસા તો ન જ કરે, પણ એની છાયામાં, એના આજુબાજુના વાતાવરણમાં પણ હિંસક ભાવ ઊડી જાય છે. મહાતપસ્વી સાધુ કે સિદ્ધ ગીના સાન્નિધ્યમાં આ દશાને અનુભવ થાય છે. શ્રી તીર્થકર દેવના વિહારપ્રદેશમાં અને સમવસરણમાં પ્રાણી કુદરતી વૈર પણ ભૂલી જાય છે એ આ ગસિદ્ધિને ચમત્કાર છે. કેઈ સિદ્ધ યેગીને મારવા કે તિરસ્કારવા આવે તે જ્યાં નજીક આવે ત્યાં અવાક્ થઈ જાઈ છે, તે આ વિશિષ્ટ ગુણનું પરિણામ છે. એનાં કષાયજિત્ અંત:કરણની છાયા એવા વાતાવરણમાં પડે છે અને પ્રાણી સ્વાભાવિક વેર પણ ભૂલી જાય છે. મિત્રી રાખવામાં કે તે આદર્શના પિષણમાં અત્યંત આનંદ છે. એક તો આ જીવન ઘણું ટૂંકું છે તેમાં ઝઘડા ટંટા ઘટે નહિ એ પ્રથમ વાત થઈ ગઈ છે અને બીજી વાત એ છે કે ચેતનના ગારવને વૈરવિધ ભતા નથી. તું કોણ? તારું મૂળ સ્થાન શું? તારે વાસ અહીં કેટલે? અને તું અત્યારના વેરવિધ કયા ભવ માટે કરે છે? આ દષ્ટિએ ખરેખર વિચાર કરવાની જરૂર છે. પ્રાણી વિનાકારણ મોટા કલહ જમાવે છે અને હેરાન થાય છે. અંતે કલહથી કાંઈ લાભ મળતો નથી અને તેની ખાતર કરેલ ધન અને શક્તિનો વ્યય નિરર્થક નીવડે છે. Jain Education International For Private & Personal Use Only - WWW.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy