SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શ્રો શાંત-સુધારÄ ત્રાસ થાય છે, ને મૈત્રી ભાવનાના પરિપૂર્ણ સાક્ષાત્કારને સદા ઝંખે છે. એને હૃદયમાં પચાવી એ જે ઉદ્ગાર કાઢે છે તેને યથાપ્રકારે સમજવાની જરૂર છે. એમાં અન્યના અસ્વીકારના નેિ નથી, પણ ઉત્કૃષ્ટ રસાસ્થાનના સ્વીકારની વિજ્ઞપ્તિ છે અને તે અંતરની ઊર્મિમાંથી ઉછળેલ છે. એમાં દા શબ્દ મૂકીને ઊર્મિના આંદાલન અતાવ્યા છે. એ એક શબ્દ આખા વિચારની ભવ્યતામાં ખૂબ વધારા કરે છે. એને એ સ્વરૂપે સમજી ચેતન ઉપસંહારમાં પ્રવેશ કરે. ૮. છેવટે શ્રી વિનયવિજયજી મહારાજ કહે છે કે જેઓનાં ચિત્ત વિમળ થયાં છે એટલે જેનામાંથી મળ સર્વથા ગયા છે અથવા ઘણુા એછે થયેા છે તેએ પરમાત્મભાવમાં પરિણામ પામે. જેએને હૃદયની શુદ્ધિ થઇ છે અને મંત્રીભાવનાને જેને સાક્ષાત્કાર થયા છે તે ધર્મધ્યાનને પાત્ર થાય છે અને તેવા પ્રાણી અંતરાત્મભાવમાં પ્રવતી પરમાત્મભાવ ઉપર એકાગ્ર થાય છે. મંત્રી ધર્મ ધ્યાન સાથે અનુસ ંધાન કરે છે, ધર્મ ધ્યાન આત્માને સન્મુખ કરે છે, સન્મુખ થયેલા આત્માનું સાધ્ય મુક્તિ છે અને તેનેા ઉપાય પરમાત્મભાવમાં પરિણમન છે. પરમાત્મા શુદ્ધ નિરજન બ્રહ્મસ્વરૂપ છે, નિરજન નિરાકાર છે, અનંત અવ્યાબાધ સુખના ભાક્તા છે, આત્માની મૂળ સ્થિતિને પ્રાપ્ત થયેલા છે અને અજર અમર થઈ અનંત જ્ઞાનદર્શનમાં રમણ કરી સ્થિરતારૂપ ચારિત્ર પામેલા છે. એ પરમાત્મસ્વરૂપ સાથે એકભાવ–એકતાન લાગે એ ધર્મ ધ્યાન છે. વિમળ આત્માનુ લક્ષ્ય તા એ જ હાય. અને પછી :કાંઇ સંસારના નાચેા નાચવાના હાય નહિ, નામાં માંડવાના હૈાય નહિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy