SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ શ્રી.શાં•ત સુધારસ રત્ન એ દુર્લભ છે, એ અંતરમાંથી પ્રકટે છે અને પ્રકટે ત્યારે એની સુગંધ ચારે તરફ્ વિસ્તરે છે. આ અંતરના નાદ ક્યાં છે? કેમ મળતા નથી ? આત્મજ્ઞાન અને મનુષ્યત્વ મળ્યા પછી પણ કેટલા દુર્લભત્વના પ્રસ ંગે આવે છે તેની વિશેષ હકીકતા ગેય અષ્ટક પર મુલતવી રાખી, અહીં અગત્યની ઘેાડી આાખતા ઉપદેશરૂપે કહે છે. તે ' મનન કરીને સમજવા ચેાગ્ય છે. નીચેના ત્રણે શ્લાકે ઉપદેશાત્મક છે. એધિની વાત ફરી વાર અષ્ટકમાં લેવામાં આવેલ છે. . છે. હાલમાં વખત કેવા છે તે વિચાર. મતા અને પત્થાને પાર નથી. એક વેદને અનુસરનાર પન્થે! કેટલા છે? વૈશેષિક, ન્યાયિક, સાંખ્ય, જૈમિનિ, પૂર્વમિમાંસા, ઉત્તરમિમાંસા એ ઉપરાંત શ્વેત, અદ્વૈત, શુદ્ધાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, માધવ, રામાનુજ, વલ્લભાચાર્ય, શંકરાચાય એવા નાના મતભેદોને પાર નથી. બૌદ્ધના પણ ચાર મેટા વિભાગા, મુસલમાનેાના શિયા સુન્ની, ખ્રીસ્તીમાં કેથેાલિક, પ્રેટેસ્ટન્ટ, નેાન કેન્ફ્રામી સ્ટ, પ્રેસ્ડીટેરીયન, પ્યુરીટન અને દરેકના પારવગરના પેટાભેદે. આવા અનેક મતા, ૫થા અને દનેા છે. તેમાં પેાતાને બુદ્ધિશાળી માનનારા લેાકેાના પાર નથી. એક એક હેત્વાભાસા અને દલીલેાની ગુંચવણ્ણા એવો ઊભી કરી દે છે કે માણસનું મગજ ગુંચવણમાં પડી જાય. માત્ર દુઃખ એટલું જ છે કે દરેક બુદ્ધિશાળી માણસ પાતપાતાના મતવ્યની સ્થાપના કરવાના રસમાં એટલા પડી ગયેલા હાય છે કે એને પેાતાની વાત સાચી છે એમ બતાવવાની પ્રમળ ઇચ્છા આડે પરસ્પર સમન્વય કરવાની કે સત્ય તારવવાની ભાવના, વૃત્તિ કે પ્રુચ્છા થતી જ નથી. અશસત્યને સર્વસત્ય માનવા મનાવવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy