SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ લાકસ્વરૂપ ભાવનાઃ— ગેયાષ્ટક પરિચયઃ— ૧. ઉપરના પરિચયમાં જે લેાકનુ વર્ણન સક્ષેપમાં કર્યું છે તે લેાક શાશ્વત છે; ભૂત, વર્તમાન ને ભવિષ્યમાં એકસ્વરૂપે વનાર છે. એ શાશ્વત ન હાય તેા એની આદિ હાવી ઘટે તેનું કાઈ પ્રમાણુ લક્ષ્ય નથી અને એને બનાવવા પરમાણુ જોઇએ તે ચેતન પદાર્થમાંથી નીકળે તેમ નથી. જો પરમાણુને અનાદિ માનીએ તે વાત અતે અનાદિ ઉપર જ આવે છે. જે લેાનુ' ઉપર વર્ણન કરવામાં આવ્યું છે તે ચર અને અને અચર, જગમ અને સ્થાવર સર્વને ધારણ કરવા સમર્થ છે અને આકારાંતર તથા અવસ્થાંતર ધારણ કરે છે. પ્રત્યેક દ્રવ્યા પેાતાના ધર્મો બજાવે છે અને અન્યથી જુદા રહી એક સાથે કામ કરે છે. આકાશ સર્વને અવકાશ આપે છે. આ લેાકસ્વરૂપને તુ ખૂબ વિચાર. ચર અને અચર સર્વને એળખવા અને પ્રત્યેકના ગુણા અને પર્યાયાને વિચારવા એ અત્ર મુદ્દો છે, આ સર્વ તત્ત્વામાં આકાશને ખરાખર સમજ્યા પછી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને ખાસ સમજવા જરૂરી છે, કારણ કે એનુ દ્રવ્ય તરીકે કેાઇ દર્શનમાં નિરૂપણુ નથી. વિચારવાનુ એ છે કે આકાશ તા અવકાશ આપે, જીવ અને પુગળા ચાલે, પણ એની ગતિ અને સ્થિરતાને નિય ંત્રિત કરનાર કાઇ ન હાય તો સર્વત્ર અવ્યવસ્થા ઊભી થાય. એને ચાક્કસ સ્થાને રાખનાર અને ગતિ તથા સ્થિતિ વખતે એને સહાય કરનાર ઉપરના અને દ્રવ્યે ( ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ) ન હોય તા ફૈખાતા વિશ્વની વ્યવસ્થા કે સ્વરૂપ ન રહે. આ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy