SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યત્વભાવના. . ૩૦૩ અંતર વિકાર થયા જ કરે છે પણ શાંતસુધાનું પાન કરે તે એવા વિકારો દૂર થઈ જાય છે, એ સ્વપરને ઓળખે છે અને એના વિકારે શમી જાય છે. (૩) વળી એ રસ વિનાશ રહિત છે. અપાય એટલે પીડા કે વિનાશ એ જ્યાં ન હોય ત્યાં ભારે મજા આવે છે. માથે વિનાશને ભય લટકતો હોય ત્યાં સુધી કામ કરવામાં મજા આવતી નથી. શાંતરસ અને વિનાશને ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ જે સંબંધ છે. આ શાંત અમૃતરસ જે સર્વ વ્યાધિને શમાવનાર છે, વાંતિને દૂર કરનાર છે અને વિનાશ રહિત છે તેને પી. આ ગાળામાં શિવગતિનો સરળ ઉપાય બતાવ્યું અને શાંતવાહિતામાં સ્નાન કરવાની ભલામણ કરી. આ રીતે પાંચમી અન્યત્વ ભાવના લેખકશ્રીએ પૂરી કરી. વિનય નામનું રટણ આપણે પણ પ્રત્યેક ગાથાને અંતે અષ્ટકમાં કર્યું. એ રીતે અન્યત્વ ભાવનાની હકીક્ત રજુ કરી. અન્યત્વ ભાવનામાં બહાર જવાનું છે અને બહારને–પરને સંબંધ આત્મા સાથે કેવો છે તેને બરાબર ખ્યાલ કરવાનો છે. જંગ ( Jung ) નામના તત્ત્વજ્ઞાનીએ મનુષ્ય જાતિના બે વિભાગ પાડ્યા છે. એકને તે Introvert કહે છે, બીજાને તે Extravert કહે છે. એકસટ્રાવર્ટ (બાહ્યદષ્ટિ ) નું માનસિક બંધારણ બાહ્ય વસ્તુ તરફ હોય છે અને તે તેનું સર્વ ધ્યાન અને લાગણું શેકે છે. ઈન્ટ્રોવર્ટ (આંતરદષ્ટિ) પોતાની અંદર જુએ છે, દુનિયામાંથી એ લગભગ દૂર જાય છે અને તે દુનિયાને પોતાની વિરોધી ગણે છે. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy