SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી•શાંતસુધારસ આવી રીતે મમત્વભાવ વિવિધ પ્રકારની પીડા અને દુ:ખ કરનાર અને તેને વહેારનાર-લાવી આપનાર હાઈ પરભાવને ખરાખર એળખવાની જરૂર છે. આત્માને એના મૂળ સ્વરૂપે એની સાથે કાંઇ લેવાદેવા નથી. એ તે પારકાને વશ પડી પેાતાની જાતને ભૂલી જઈ નકામે ફસાય છે અને હાથે કરીને ઉપાધિ અને ભયને નેાતરાં આપે છે. પરભાવરમણુતાની આ સ્થિતિ છે ! અને આ પ્રાણી અત્યારે તે તેને આંગણે ઉભે છે અને તેમાં એવા લુબ્ધ થઇ ગયા છે કે એ પેાતાની જાતને ઓળખે છે કે નહિ એ પણ વિવાદગ્રસ્ત સવાલ થઈ પડેલ છે. સમજુ હાવા છતાં આવી રીતે પરભાવમાં રમણુ કરવાની ટેવ પડી ગયેલા અને એ રીતે મા ભ્રષ્ટ થયેલા આત્માને હવે જરા પ્રેમપૂર્વક સમજાવે છે, તેની પાસે ખેાળા પાથરી તેને માર્ગ પર આવવા વિજ્ઞપ્તિ કરે છે. આ વિજ્ઞપ્તિ કરનાર કાણ ? અને કેટની પાસે કરે છે? એ શેાધી કાઢવામાં આવે તે આત્માના એકત્વભાવ સમજાય. એ કાર્ય આપણે વિચારકની બુદ્ધિ શક્તિ પર છેડશું. ૨૩૨ (૬ ૪.) અત્યારે હું ચેતન ! તને ઘણી સગવડા મળી છે. મનુષ્યભન્ન અત્યંત મુશ્કેલીએ મળે છે તે તે જાણીતી વાત છે, પણ આત્મસન્મુખ બુદ્ધિ, સદ્વિચારસામગ્રી, શુદ્ધ-સાચા તત્ત્વની ઓળખાણ વિગેરે સગવડા મળવી તે તેા તેથી પણ વધારે મુશ્કેલ છે. નિરોગી શરીર, રીતસરની ધનસંપત્તિ, વડિલવની શિરછત્રતા, પુત્રાની વિપુળતા, અભ્યાસની સગવડ, પૃથક્કરણ કરવાની સમુચિત આવડત વિગેરે વિગેરે અનેક સગવડા તને મળી છે, ખાસ કરીને વસ્તુસ્વરૂપને બતાવે તેવા તત્ત્વજ્ઞાનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy