SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીબ્રાંતસુધારસ એવા લેભના સપાટામાં એક વખત પ્રાણું આવ્યું એટલે પછી એ ગેટા ગણવા માંડે છે અને એના મનેર ચક્રાવે ચઢે છે. એ તો પછી રાતના બાર વાગ્યા ગણતો નથી, ભૂખ-તરસ ગણતો નથી, દેશ-પરદેશ ગણતે નથી, રાત-દિવસ જેતે નથી, સગાસંબંધીને સ્નેહ વિચારતે નથી, પૈસાની ગતિ વિચારતો નથી અને સર્વ પ્રકારને વિવેક મૂકી દઈ ચક્રમાં પડી જાય છે, મોટા મોટા આરંભે કરે છે, ન બોલવાનું બેલે છે, માયા–કપટ કરે છે, ઈચ્છિત વસ્તુ કે ધન મેળવવા અનેક ખટપટે કરે છે. આ લોભ લાગ્યો હોય, આ દુરંત લેભ પ્રાણુના અંતરમાં ભ નીપજાવી રહ્યો હોય, તેને ગમે તેટલે લાભ મળે તે પણ તે ધરાતે નથી. જંગલમાં દાવાનળ લાગે ત્યાં પાંચપચાસ પાણના ઘડા ઠલવે તેથી કાંઈ દાવાનળ એલવાય? એ લભ એક વાર જામ્યો એટલે લાભના વધારા સાથે એ વધત જ જાય છે અને લોભ એના અનેક આકારમાં આ સંસારમાં ઘર કરીને બેઠા છે. એ તો અડ્ડો જમાવીને આ સંસારમાં પલાંઠી મારીને બેઠે છે. આવા મનેવિકાર અંદર જામ્યા હોય તેવા સંસારમાં આ પ્રાણને શાંતિ ક્યાંથી વળે ? એ મનમાં ધારે કે થોડું મેળવી પછી અટકશું, પણ ત્યાં તે પરણે, પછી છોકરાં થાય, પછી તેનાં સગપણ–લગ્ન કરવાં પડે અને એમ સંસારનું ચક્ર વધતું જાય અને ધારણા છૂળ મળે. લાભ થાય તેમ તેમ વધે છે. સદા રાજે ત ો ા ો પ એ જાણીતી વાત છે. લાભ થાય તેમ તેભ વધે. બે વાલ સેનું લેવા આવનાર બ્રાહ્મણને વિચાર કરવા સમય મળે તો આખા રાજ્યથી પણ સંતોષ ન મળે. આ લોભ જે સંસારવનમાં જામ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy