SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંત-સુધારસ ઘેાડા દિવસ રહેનારી દિવાની જુવાનીને વશ થઈ આવી રીતે વિચિત્ર વર્તન કરનાર કડવાં ફળ કેમ ન પામે ? પરભવની વાત ખાજુ ઉપર રાખીએ તે આ ભવમાં પણ્ અને અત્યાચારનાં ફળો કેમ મળ્યાં વગર રહે? અને જુવાનીના શાખ ઘડપણમાં કેવા નાચ નચાવે છે તે કાંઇ આપણું અજાણ્યું નથી. ખાઇ ન શકાય એટલે મનમાં કચવાટ થાય, ખાય તેા અપચા થાય અને પછી તેા ગાંડીઆના ભૂકા કરીને પણ ખાવે પડે અને રાખડી પીને દિવસે કાઢવા પડે! પરવશ પ્રાણી શું શું ન કરે ? અને કરે એટલે પછી ફળ તા જરૂર પામે એમાં કાંઇ નવાઇ નથી. અને રસપૂર્વક સેવેલા ઇંદ્રિયના વિષયેા પેાતાનું વૅર ખરાબર લે છે. કેટલાક તાત્કાળિક લે છે અને કેટલાક લાંબે વખતે લે છે. આટલા ઉપરથી જણાય છે કે ચાર દિવસનાં ચાંદરડા જેવી જીવાની પણ દેખીતી રીતે અનિત્ય છે, જોતજોતામાં આવીને નાશ પામી જાય તેવી છે અને જાય ત્યારે પેાતાની પાછળ ઘણા કચવાટ મૂકી જાય તેવી છે. એને પરિણામે ગમે તેવાં આકરાં દુ:ખ! અહીં અને આગળ ખમવાં પડે તેમ છે તે ચાસ સમજાય તેવી વાત છે. ७८ કદાચ સદ્ભાગ્યે કાઈ પ્રાણી જુવાનીમાં પણ ભેાજન કે સ્ત્રીના પાસમાં પડતા નથી અને સ્વત્વ જાળવી રાખે છે તેની પણ જુવાની અંતે જરૂર જાય છે. અહીં કહેવાની વાત એ છે કે જુવાની જેવી સ્થિતિ જેના ઉપર અનેક સ્ત્રી-પુરૂષોને મદાર અંધાયલા હાય છે તે પણ અનિત્ય છે, લાંખા વખત ટકનારી નથી અને જાય ત્યારે પાતાની પછવાડે વધારે આ કચવાટ જરૂર મૂકી જાય છે. જીવાની કેવા કચવાટ મૂકી જાય છે તે તેા વૃદ્ધના– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy