SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ :- પ્રવચન માતાની સાથે રહેનાર સાધુને સંસાર ભય હોતો જ નથી. અને તેનું હિત થાય છે તેમજ આ માતા વિધિપૂર્વક આગમગ્રહણ ક૨વા રૂપ પ્રકર્ષવૃત્તિથી ફળ આપનાર બને છે. વિશેષાર્થ :- પ્રવચન માતાની સાથે ૨હેનાર સાધુને હંમેશ માટે સંસારનો ભય ટળી જાય છે; કારણકે સંસાર (ભય)ની વિરોધિ ઉત્કૃષ્ટ કલ્યાણ સ્વરૂપ મોક્ષની દ્રઢ શ્રદ્ધા તેને જાગી ગઈ છે. જેમ ડૉ. કહે તમે થોડા દિવસમાં સ્વસ્થ થઈ જશો,. તે વચન ઉપર દ્રઢ શ્રદ્ધા જાગી જાય તો વિદ્યમાન રોગની ફિકર રહેતી નથી. પ્રવચન માતાના આચરણવાળાને આગામી આપત્તિ ટળી જતી હોવાથી તાદૃશ આચરણવાળા સાધુને હિત થાય છે. પ્રવચનમાતાના આચરણવાળો સાધુ માંડલીમાં બેસવાનો અધિકારી બનતો હોવાથી સૂત્રોક્ત વિધિથી ગુરુ ઉપદેશેલ વાચના વિ. દ્વારા આગમ ગ્રહણ કરી શકે. આવું પ્રકર્ષ ફળ પ્રવચન માતા આપે છે. પ્રવચન માતા વગરનો સાધુ માંડલીમાં બેસવાનો અધિકારી બનતો નથી, તેથી વિધિ પૂર્વક આગમ ગ્રહણ કરી શકે નહિ. અને અવિધિથી ગ્રહણ કરેલ આગમ પ્રકર્ષફળ આપવાં સમર્થ નથી. એટલે તે ઉત્કૃષ્ટ નિર્જરાનું સાધન બની શકતું નથી. | ૯ | गुरु पारतन्त्रमेव च तद्बहुमानात्सदाशयानुगतम् ॥ परमगुरुप्रातेरिह बीजं तस्माच्च मोक्ष इति ॥ १० ॥ गुरुपारतन्त्र्यमेव च - गुर्वाज्ञावशवर्तित्वमेव च तद्बहुमानाद्गुरुविषयान्तरप्रीतिविशेषान्न तु विष्टिमात्रज्ञानात् । सदाशयेन भवक्षयहेतुरयं मे गुरुरित्येवंभूतशोभनपरिणामेन नतु जात्यादिसम्बन्धज्ञानेनानुगतं सहितं परमगुरुप्राप्तेः सर्वज्ञदर्शनस्येह जगति बीजं, गुरुबहुमानात्तथाविधपुण्य- सम्पत्त्या सर्वज्ञदर्शनसम्भवात् तस्माच्च हेतोर्मोक्ष, इति हेतोर्गुरुपारतन्त्र्यं साधुनावश्यं विधेयमिति सोपस्कारं व्याख्येयं १० ॥ આગમ ગ્રહણ ગુરુને અધીન હોવાથી ગુરુ સંબંધી પણ ઉપદેશ આપવો જોઈએ. એથી કહે છે.. 30 Jain Education International For Private & Personal Use Only શ્રીષોડશકપ્રકરણમ્ www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy