SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ બાબતમાં સર્વજ્ઞની આજ્ઞાને જ આગળ કરે (તે વિષય વાળું) તેમજ વિધિ દ્રવ્ય દાતા અને પાત્ર ઈત્યાદિ ઉપર અતિશય ભાવ રાખે, ભાવના ભાવવાથી જાગેલું આ ભાવનામય જ્ઞાન ક્ષાર માટી પુટક વિ. (આમલી વગેરે ખાટા પદાર્થથી ઘસવું, માટી નાખવી અને શકોરામાં બંધ કરી ભટ્ટીમાં નાખી ઝાળ આપવી) થી શુદ્ધ નહિં કરેલ એવા જાત્ય રત્નની જેમ સ્વાભાવિક દીપ્તિવાળું હોય છે. તેમજ તે રત્ન જેમ અન્ય રત્નની અપેક્ષાએ અધિકપ્રકાશ કરનાર હોય; તેમ કર્મ મલિન એવા પણ ભવ્ય જીવને આ શેષ જ્ઞાનની અપેક્ષાએ અધિક પ્રકાશ આપનાર બને છે. આ જ્ઞાનથી જાણ્યું ખરેખર જાણેલું કહેવાય. ક્રિયાપણ આ જ્ઞાન પૂર્વકની જ મોક્ષ આપનારી છે. કારણકે આ જ્ઞાન પરમાત્માને પ્રમુખ પદે સ્થાપે છે અને આત્મદોષને તેમની આગળ ખુલ્લા પાડી આપે છે. તેથી જે કોઈ પણ ક્રિયા કરીએ ત્યારે આત્મઅધ્યવસાય આત્માને શુદ્ધ કરવાના લક્ષ્યવાળા હોય છે. આવા આત્મઅધ્યવસાય અન્ય જ્ઞાનમાં જાગતા ન હોવાથી આને અધિક પ્રકાશકરવાવાળું કહ્યું છે. અહીં એકપણ વાક્ય દ્વારા વ્યુત્પત્તિ વિશેષથી વાક્યર્થ જ્ઞાનાદિ ઉત્પન્ન થાય છે. अत्र चैकस्मादपि वाक्याद्व्युत्पत्तिविशेषेण जायमानानां वाक्यार्थज्ञानादीनां महावाक्यार्थशब्दज्ञानादाववान्तरव्यापारत्वमिति न विरम्यव्यापारानुपपत्तिदोषस्तथाचाहुः तार्किकाः “सोऽयमिषोरिव दीर्घदीर्घतरो व्यापारो यत्परः शब्दः સ શબ્દાર્થ” રૂત્યચત્ર વિસ્તરઃ || 8 || અને મહાવાક્યાર્થી શબ્દજ્ઞાનાદિના અવાજોર વ્યાપાર રૂપે વાક્યર્થ જ્ઞાનાદિ બને છે એટલે વાક્યર્થ જ્ઞાન થયા પછી મહાવાક્યર્થ જ્ઞાન પેદા થવામાં વાક્યર્થ જ્ઞાન વ્યાપારની ગરજ સારે; તેમ ઐદત્પર્યજ્ઞાન = ઐદમ્પર્યના વિષયવાળ ભાવના જ્ઞાન થવામાં વચ્ચે ના જ્ઞાન વ્યાપાર રૂપે કામ કરે છે. વિરમ્ય વ્યપાર એટલે પોતાનું કાર્ય કરીને વિરામ પામવા યોગ્ય વ્યાપાર. દડુ ઘટ રૂપ કાર્ય પ્રતિ ચક્રમાં ભૂમિ ઉત્પન્ન કરવા રૂપ વ્યાપાર કરે છે. ભૂમિ રૂપ વ્યાપાર ઘટને ઉત્પન્ન કરી વિરામ પામે છે. આ સામાન્ય સિદ્ધાંત જણાય છે. પ્રસ્તુતમાં એક વાક્ય વિષયક જ્ઞાનોપયોગ રૂપ વ્યાપાર વાક્યર્થ બોધ કરાવીને અટક્યા વગરજ મહાવાક્યગત શબ્દાર્થ યાવત તાત્પર્યાર્થિ સુધીના બોધને કરાવે છે, તો વિરમ્ય વ્યાપારનો HUY શ્રીષોડશકપ્રકરણ-૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy