SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ આ બાબતમાં ગ્રંથકાર પોતાનો નિર્ણય/ચુકાદો બતાવે છે. ગાથાર્થ :- પૂજા વિ. થી મુક્તિમહલમાં બિરાજમાન દેવતાનો કાંઈ પણ ઉપકાર સંભવી શકતો નથી માટે આ અવાસ્તવિક કલ્પના બાલકની કીડા સમાન છે. વિશેષાર્થ - પૂજા, ઘરેણાંથી શોભિત કરવા. સ્નાત્ર મહોત્સવ વિ. કરવો તેનાથી પ્રસ્તુત દેવતાને કાંઈ પણ (મુખ્ય) સુખનો અનુભવ કરાવવા રૂપ ઉપકાર સંભવતો નથી. તેથી “મુક્તિી દેવતાનો ઉપકાર થાય છે.” આવી ખોટી કલ્પના બાલકની ક્રીડા સમાન ભ્રમણાની ગણતરીમાં ગણાય છે. જેમ બાલક વિવિધ જાતના રમવાના સાધનોથી સુખ અનુભવે છે, તેમ પૂજાદિથી પ્રસ્તુત દેવતા સંતુષ્ટ થાય છે. તે પણ ભ્રમણાં જ છે. આમ મુક્તિસ્થદેવતાનો ઉપકાર થાય છે” આ પક્ષમાં બાલક્રીડા તુલ્યત્વ રૂપ દોષ આવે છે. પરંતુ જેઓ આત્મકલ્યાણ માટે પૂજાદિ કરે છે તેઓના ગળામાં આ દોષ સર્પ બની ડંખતો નથી, કારણ આત્મ કલ્યાણ માટે તો વાસ્તવિક છે. | ૭ || निजभावपक्ष एवोपपत्तिमाह । भावरसेन्द्रात्तु महोदयाजीवताम्रस्वरूपस्य । कालेन भवति परमाऽप्रतिबद्धा सिद्धकाञ्चनता ॥ ८ ॥ भावो रसेन्द्र इव तस्मात्तु तत इति मुख्यदेवतास्वरूपालम्बनान्महोदयात् पुण्यानुबन्धिपुण्यसम्पल्लाभेन जीवभावरूपस्य जीवात्मस्वभावताम्रस्य कालेन कियतापि भवति परमा प्रकर्षवर्तिनी अप्रतिबद्धानुपहता सिद्धकाञ्चनता सिद्धभावस्वर्णता ।। ८ ।। પોતાના ભાવ જ યુક્ત છે તે જ દર્શાવે છે. ગાથાર્થ :- જિનેશ્વર સ્વરૂપનાં આલંબન રૂપી રસેન્દ્ર - પારા સમાન ઉત્તમ ભાવથી પુણ્યાનુબંધી પુણ્ય રૂ૫ મહોદયની પ્રાપ્તિ થાય છે. જેનાથી જીવના આત્મસ્વભાવરૂપ તાંબું કેટલાંક કાલે પરમ પ્રકર્ષવાળું કોઈથી ન હણાય એવું સિદ્ધસુવર્ણ જેવું બને છે. એટલે સિદ્ધ થઈ જાય છે. / ૮ll MUURAAVANO $ 108 શ્રી ષોડશકપ્રકરણ-૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy