SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ થયેલા છે આવા જ્ઞાનથી પેદા થયેલ ભક્તિ વિશેષથી લોકો વિશિષ્ટ પૂજા વિ. કરે છે. (આના વડે.) પૂર્વપક્ષ (મીમાંસક) ઃ- પ્રતિષ્ઠા કરાવનારનું કર્મ (અદૃષ્ટ) પૂજા રૂપ ફળનું પ્રયોજક નથી, તે કર્મનો બીજા ને અભાવ હોવાથી કરાવનારનું કર્મ નાશ પામતા પ્રતિમા પૂજવા યોગ્ય રહી શકશે નહિં. અને ચંડાલ વિ. નો સ્પર્શ તો પ્રતિમામાં થાય છે. અને તે કર્મ તો પ્રતિષ્ઠા કરાવનારમાં છે. એટલે વ્યધિકરણ કારણ હોવાથી તેના દ્વારા પ્રતિષ્ઠા કરાવનારનાં કર્મનો નાશ ન થઈ શકે; માટે પ્રતિષ્ઠાથી આધાન (સંપાદન) કરાયેલી ચાણ્ડાલાદિના સ્પર્શથી નાશપામનારી શક્તિ પૂજારૂપી ફળની પ્રયોજક છે. એમ માનવું જોઈએ. તેન પ્રતિષ્ઠાજારવિસ્તૃતાત્કૃષ્ટ ન પૂનાफलप्रयोजकं परेषां तदभावात्तददृष्टक्षये प्रति मापूज्यतानापत्तेश्चाण्डालादिस्पर्शेन व्यधिकरणेन तन्नाशयोगाच्चेति प्रतिष्ठा हिता चाण्डालादिस्पर्शनाश्या शक्तिः पूजाफलप्रयोजिकेति मीमांसकमीमांसितमपास्तम् । प्रतिष्ठि- तत्वज्ञानाहितभक्तिविशेषद्वारा प्रतिष्ठायाः पूजा फल- प्रायोजकत्वादस्पृश्य- स्पर्शादिप्रतिसन्धानस्य च भक्ति विशेषव्याघातकत्वेनानुपपत्त्यभावाच्छ- क्तिपक्षे चाप्रतिष्ठितत्वभ्रमेऽपि विशिष्टपूजाफलापत्तेः एतेन प्रतिष्ठाध्वंस एवास्पृश्य पेशा ऽभावविशिष्टः पूजाफलप्रयोजक इति मणिकृन्मतमप्यपास्त-मितिदिग् । (આવા મીમાંસક મતનો નિરાસ થયો) ઉત્તરપક્ષ (જૈન) ‘આ પ્રતિમામાં પરમાત્માની પ્રતિષ્ઠા થઈ છે.' એવા માનથી પેદા થયેલી વિશેષ ભક્તિ (દ્વારા) પ્રતિષ્ઠા પૂજારૂપ ફ્ળની પ્રયોજક બનતી હોવાથી અને “અસ્પૃશ્યનો પ્રતિમાને સ્પર્શ થયો છે.” એવું જ્ઞાન વિશેષ ભક્તિનો વ્યાઘાત કરતું હોવાથી અમારી વાત યુક્તિયુક્ત છે. એટલે શક્તિ વિશેષને માનવાની જરૂર નથી. ઉલ્ટુ તેવું માનવા જતા અપ્રતિષ્ઠિતનાં ભ્રમમાં પણ = પ્રતિષ્ઠા થયેલી હોય છતાં પણ પ્રતિષ્ઠા થઈ નથી એવો ભ્રમ થાય ત્યારે પણ પ્રતિષ્ઠાથી પ્રતિમામાં તાદૃશ શક્તિનું સંપાદન તો થઈ જ ગયું છે તેથી વિશિષ્ટ પૂજારૂપ ફળની આપત્તિ આવશે. પણ હકીકતમાં આવા ભ્રમમાં કોઈ પૂજા કરતું દેખાતું નથી. આમ કહેવા દ્વારા અસ્પૃશ્યના સ્પર્શના અભાવથી વિશિષ્ટ એવો પ્રતિષ્ઠાવંસ પૂજાનો પ્રયોજક છે. એટલે જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે તે સંબંધી ક્રિયાપૂર્ણ થવાથી પ્રતિષ્ઠાનો ધ્વંસ થાય છે. તે ધ્વંસ છેક સુધી રહે શ્રીખોડશકપ્રકરણમ્-૮ 103 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy