SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ રાખી જે ક્રિયા થાય તે વચનાનુષ્ઠાન કહેવાય. “અસ્મિન્ હૃદયસ્થ...૨/૧૪ થી આગમને ર્દયમાં ધરતા પ્રભુ પણ દયમાં આવી જાય છે. આ વ્યાખ્યા પ્રમાણે જેઓ શાસ્ત્રવિહિત પ્રત્યેક ક્રિયામાં શાસ્ત્રને જ આધાર માને છે અને પરમાત્મતત્ત્વ પ્રાપ્ત કરવાની ઝંખનાથી પ્રભુના ગુણોનું સ્મરણ કરતા તે ગુણો આત્મામાં પણ સ્થાપી શકાય છે. છતાં પણ એક ગુણ સિદ્ધિના ઉદ્દેશ્યથી વીતરાગત્વ વિ. એક ગુણને અનુસરતા પરમાત્મા સાથે એકાકારતા પ્રાપ્ત થાય છે. જેમ એક જ પ્રકારની પૂજા કરતા કરતા ગુણવર્મારાજાના સત્તર પુત્રોએ સિદ્ધિ (એજ ભવે મોક્ષગામી બન્યા) મેળવી, અથવા અઈમુતા મુનિ પરમકરુણાભાવ રૂપ ગુણ સિદ્ધિના ઉદ્દેશથી ઈરિયાવહિયાનો આરંભ કર્યો (ત્યારે અહો પ્રભુ કેવા કૃપાલુ હું કેવો વિરાધક એ પ્રમાણે પ્રભુના એક પરમ કરુણા ગુણ દ્વારા પોતાનાં આત્માની તુલના કરતા (કેવલી બન્યા) પરમાત્મા સાથે એક્યતા સાધી; પણ તે અઈમુત્તા તો ૧૧ અંગના અભ્યાસી ઘણાં બુદ્ધિશાળી હતા. માટે સામાન્ય લોકોના ઉપકાર માટે સર્વજ્ઞતા, સર્વદર્શિતા અવ્યાબાધ સુખ, વીતરાગપણું, શાશ્વત, અરુપી, અગુરુલઘુ, અનંત શક્તિ એવા અદ્ભુત અતિશયવાળા, સર્વેગુણો અંજન શલાકા દ્વારા પ્રતિમામાં આરોપિત કરાય છે. વાહ્ય તુ બિનવિવાહિતા વાણિતિ નિગમવર્ચવ मुख्यदेवताविषयस्योपचारात्मिका प्रतिष्ठितत्व- ज्ञानाहितभक्तिविशेषेण लोकानां विशिष्टपूजाफलप्रयोजिकेति द्रष्टव्यं । - અને તે પ્રભુના દર્શનથી બધા ગુણો આપણી સામે તરી આવે છે. ત્યારે આત્મા પરમાત્મા સાથે તે ગુણો દ્વારા તુલના કરતો પરમાત્મા સાથે તન્મયતા-એક્યતાને સાધે છે. જેમ પુણ્યાઢય રાજા' હાથીની આકૃતિ ઉપર જિનપ્રતિમા સ્થાપી દર્શન દ્વારા કેવલી બન્યા. આમ અન્ય અનુષ્ઠાન વ્યુત્પન્નમત્તિવાળાને ઉપયોગી બને છે. ત્યારે પ્રાણપ્રતિષ્ઠિત પ્રતિમા સામાન્ય જીવો ને પણ એકાકાર માટે શીઘ ઉપયોગી બને છે. આ વાત ઉચ્ચ પદથી વ્યક્ત થાય છે. આ ભાવ જ ખરેખરી પ્રતિષ્ઠા છે. બાહ્યા - જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં તો “તે (પ્રભુ) જ આ છે” (આ પ્રતિમા પ્રભુજ છે) વીતરાગ પ્રભુના વિષયવાળો આવો પોતાનો ભાવ જ ઔપચારિક બાહ્ય પ્રતિષ્ઠા છે. આ પ્રતિમામાં પ્રભુ જ પ્રતિષ્ઠિત ( 102 શીષોડશકપ્રકરણામ-૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy