________________
પર :
૧ શ્રાવકધર્મ–પંચાશક
ગાથા-૧૬
-
-
-
-
પિતાનાં સંતાનના વિવાહ માટે પણ અમુક સંખ્યાથી વધારે સંતાનને વિવાહ નહિ કરું એ સંખ્યાને અભિગ્રહ કરવો જોઈએ એમ જે પહેલાં કહ્યું છે તે પણ અન્ય કોઈ પોતાનાં સંતાનના વિવાહની ચિંતા કરનાર હોય તે યોગ્ય છે, અથવા જેટલી સંખ્યા નક્કી કરી હોય તેટલી સંખ્યા થઈ ગયા પછી બીજા નવાં સંતાનોને જન્મ ન આપે તે ચગ્ય છે.
કેટલાક કહે છે કે- (ત્રત સ્વીકાર સમયે એક કે બે વગેરે જે સ્ત્રી હોય તે) સ્ત્રી સાથે મિથુનસેવનથી સંતોષ ન થવાથી કામવાસનાની પૂર્તિ માટે બીજી સ્ત્રી સાથે લગ્ન કરવું તે પરવિવાહ કરણ છે. આ અતિચાર સ્વસ્ત્રીમાં સંતેષ રાખનારને હોય છે. - સ્ત્રીઓ માટે સ્વપુરુષસંતેષ કે પરપુરુષત્યાગ એ બંનેને એક જ અર્થ છે. કારણ કે સ્ત્રીઓને સ્વાતિ સિવાય અન્ય સર્વ પુરુષે પરપુરુષ છે. આથી અનંગ કીડા વગેરે ત્રણ અતિચારો જેમ વસ્ત્રીસંતોષી પુરુષને હોય છે તેમ સ્ત્રીને પણ સ્વપુરુષમાં હોય છે.
સ્ત્રીઓમાં પહેલા અતિચારની ઘટના:- શક્યો હોય અને પતિએ વારા બાંધ્યા હોય તો શક્યના વારાના દિવસે શેષનો વારો ટાળીને પતિ સાથે વિષયસેવન કરે ત્યારે ઈવર પરિગ્રહીતાગમનરૂપ પ્રથમ અતિચાર લાગે. શેષને વારે હેવાથી અપેક્ષાએ પરંપતિ છે, એથી વ્રતભંગ છે, પણ પરમાર્થથી પિતાને પતિ હોવાથી વ્રતનો અભંગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org