SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૧ ૧ શ્રાવકધર્મ-પંચાશક ૩૭ : અ પનારી કહેવી વગેરે ગાય અસત્ય છે. ગાય અસત્યના ઉપલક્ષણથી ચારપગવાળા સર્વપ્રાણી સંબંધી અસત્યને પણ ત્યાગ થઈ જાય છે. () ભૂમિ- અસત્ય – પિતાની જમીનને પારકી કહેવી પરની જમીનને પિતાની કહેવી વગેરે ભૂમિ અસત્ય છે. ભૂમિ અસત્યના ઉપલક્ષણથી પગ વિનાનાં સર્વ દ્રવ્યો સંબંધી અસત્યને પણ ત્યાગ થઈ જાય છે. પ્રશ્ન- કન્યાઅસત્યથી બે પગવાળા પ્રાણી સંબંધી, ગાયઅસત્યથી ચાર પગવાળા પ્રાણી સંબંધી, અને ભૂમિઅસત્યથી પગ વિનાના દ્રવ્ય સંબંધી અસત્યને ત્યાગ થાય છે તે બે પગવાળા પ્રાણી, ચારપગવાળા પ્રાણી અને પગ વિનાના કાવ્યસંબંધી અસત્યનો ત્યાગ એમ ન કહેતાં અgક્રમે કન્યા, ગાય, અને ભૂમિસંબંધી અસત્યનો ત્યાગ એમ કેમ કહ્યું ? ઉત્તર- કન્યા અસત્ય વગેરે ત્રણ અસત્ય લેકમાં અતિ નિદિત હોવાથી ઘણા પ્રસિદ્ધ બની ગયા છે. આથી અહીં એ ત્રણનો સાક્ષાત્ નિર્દેશ કર્યો છે. (૪) ન્યાસ-અપહરણુ - ન્યાસ એટલે મૂકવું, બીજાએ વિશ્વાસથી મૂકેલી ધન વગેરે વસ્તુનું અપહરણ કરવું. એટલે કે નથી આપી વગેરે અસત્ય બેલીને તે વસ્તુ પાછી ન આપવી. આમાં પારકી વસ્તુ પાછી ન આપવી-લઈ લેવી એ ચારી છે. તેમાં જે જુઠું બોલવામાં આવે તે અસત્ય છે. આમાં ચોરી અને અસત્ય બંને હાવાથી આને જુદે ઉલ્લેખ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy