________________
: ૩૪ :
૧ શ્રાવધર્મ–પંચાશક
ગાથા-૧૦
અને નીચે ઉતારી શકે તેટલો જ ભાર ઊંચકાવવું જોઈએ. પશુ પાસે ઉચિતભારથી કંઈક ઓછો ભાર ઉપડાવ જોઈએ. હળ, ગાડા વગેરેમાં જોડેલા પશુઓને સમયસર છોડી દેવા જોઈએ.
ભકાપાનવિચ્છેદ- આહારપાણને વિચ્છેદ કોઈને ન કરવું જોઈએ. અન્યથા અતિશય ભૂખથી મૃત્યુ થાય. ભક્ત પાનવિરછેદના પણ સકારણ નિષ્કારણ વગેરે પ્રકારે બંધની જેમ જાણવા. રોગના વિનાશ માટે ભક્ત પાનને વિરછેદ સાપેક્ષ છે. અપરાધ કરનારને “આજે તને આહાર આદિ નહિ આપું” એમ કહેવું. (પણ સમય થતાં આહારપાણ આપવા.) શાંતિ નિમિત્તે ઉપવાસ કરાવો. વિશેષ શું કહેવું? ટુંકમાં ભાવ એ છે કે- વ્રતમાં અતિચાર ન લાગે તેમ કાળજીથી વર્તવું.
પ્રશ્ન- વ્રતમાં પ્રાણુનાશનું પ્રત્યાખ્યાન હોવાથી અતિ ચારમાં જણાવેલ બંધ આદિ કરવાથી દોષ ન લાગે. કારણ કે તેનાથી પ્રત્યાખ્યાન અખંડ રહે છે. હવે જે એમ કહે. વામાં આવે કે પ્રાણનાશના પ્રત્યાખ્યાન સાથે બંધ વગેરેનું પણ પ્રત્યાખ્યાન થઈ જાય છે તે બંધ આદિ કરવાથી વ્રતભંગ જ થાય. કારણ કે પ્રત્યાખ્યાન ખંડિત થાય છે. તથા વ્રતની ચોક્કસ સંખ્યા પણ ન રહે. કારણ કે દરેક વ્રતમાં પાંચ પાંચ અતિચારો વધી જાય. આથી બંધ વગેરે અતિચાર રૂપ નથી.
ઉત્તર -- વ્રત લેનાર પ્રાણુનાશનું જ પ્રત્યાખ્યાન કર્યું છે, બંધ આદિનું નહિ, એ વાત સત્ય છે. પણ પરમાર્થથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org