SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૧૪ : ૯ યાત્રાવિધિ—પંચાશક ગાથા-૪૫-૪૬ ઉત્તમ ઋદ્ધિથી મહત્સવ ન કરવાથી કે મહોત્સવ જ ન કરવાથી મહોત્સવનું વિધાન કરનારા ઉત્તમ શાસ્ત્ર ઉપર કે મહોત્સવ કરનાર ઉત્તમ પુરુષ ઉપર બહુમાનનો અભાવ થાય છે. પ્રશ્ન :- બહુમાનનો અભાવ કેમ થાય છે ? ઉત્તર – ઉત્તમ શાસ્ત્રમાં કહેલું નહિ કરવાથી. [આ એક સર્વસામાન્ય નિયમ છે કે, (છતી શક્તિએ) જેનું (ાગ્ય) કહેલું ન કરવામાં આવે તેના ઉપર બહુમાન ન હાય, અગર હેય તે પણ તેનું કહેલું ન કરવાથી જાતે રહે. મહોત્સવ કરવાનું શાસ્ત્રમાં કહેલું છે અને તે પ્રમાણે (પૂર્વના) ઉત્તમ પુરુષેએ કર્યું છે. આથી શાસ્ત્રમાં કહેલું નહિ કરવાથી તે બંને ઉપર બહુમાનને અભાવ થાય છે.] તથા ઉત્તમ ઋદ્ધિથી મહત્સવ ન કરવાથી ઉત્તમ મહોત્સવ પ્રત્યે અવજ્ઞા પણ થાય છે. આ બે (બહુમાનનો અભાવ અને અવજ્ઞા ) અનર્થોને સૂક્ષમબુદ્ધિથી વિચાર કરે. કારણ કે સર્વ અનુષ્કાના ગુણ-દેષની (લાભ-નુકશાનની) વિચારણા મુખ્ય છે ( અતિ આવશ્યક છે). પન - ગુણદોષની વિચારણું મુખ્ય કેમ છે? ઉત્તર – ગુણ-દેષના આધારે અનુષ્ઠાનમાં પ્રવૃત્તિનિવૃત્તિ થાય છે. જેમાં ગુણ (-લાભ) હોય તેમાં પ્રવૃત્તિ થાય છે અને જેમાં દેષ (–નુકશાન હોય) તેનાથી નિવૃત્તિ થાય છે. એટલે જે ગુણ–દેષનો ખ્યાલ જ ન હોય તે પ્રવૃત્તિ-નિવૃત્તિ શી રીતે થઈ શકે? માટે સર્વ અનુષ્ઠાનોમાં ગુણદોષની વિચારણા મુખ્ય છે. (૪૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy