SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૮ : ૧ શ્રાવકધર્મ-પંચાશક ગાથા-૯ મયૂરનું નૃત્ય તેના ગુહ્ય ભાગનું રક્ષણ કરનારું બનતું નથી, તેમ ગુરુ વિના જાતે શાસ્ત્રો વાંચી લેનારનું જ્ઞાન આત્માનું રક્ષણ કરનારું બનતું નથી.” " સંવિગ્ન એટલે મોક્ષસુખને અભિલાષી. ગુરુ પાસે ધર્મ સાંભળવાથી જ સાચા મોક્ષાભિલાષી બની શકાય છે. આથી જેણે ગુરુ પાસે ધર્મનું શ્રવણ કર્યું નથી અને મોક્ષસુખને અભિલાષી નથી તેને વ્રતસ્વકાર મોક્ષ માટે ન થાય. અતિચાર એટલે વ્રતની મલિનતા. પ્રશ્ન – અતિચારો સર્વવિરતિમાં જ હોય. કારણ કે શાસ્ત્રમાં સંજવલન કષાયના ઉદયથી અતિચારે કાા છે. કહ્યું છે કે – सव्वे वि य अइयारा, संजलणाणं तु उदयो होति । मूलुच्छेज्ज पुण होइ बारसण्हं कसायाणं । आ. नि ११२॥ સઘળા અતિચારો સંજવલન કષાયના ઉદયથી થાય છે. બાર કષાયોના ઉદયથી મૂળથી નાશ થાય છે.” આથી દેશવિરતિમાં અતિચારો ન હોય. યુક્તિથી પણ આ વાત ઘટે છે. તે આ પ્રમાણે - મોટા શરીરમાં ચાંદી વગેરે રોગો હેય, કુંથુઆ વગેરેના નાના શરીરમાં નહિ. તેવી રીતે દેશવિરતિનાં વ્રત અનેક અપવાદોથી અતિશય નાનાં છે. અતિચારો ચાંદી વગેરેના રેગે સમાન છે. એથી અતિચાર દેશવિરતિમાં ન હોય. અતિચાર એટલે દેશથી=અંશથી ભંગ. અણુવ્રત સ્વયં મહાવ્રતના અતિશય નાના દેશ-અંશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy