________________
* ૩૫૨ :
૫ પ્રત્યાખ્યાન -પંચાશક ગાથા-૨૭
પ્રથમ આહારના ચાર ભેદનો બોધ થવું જોઈએ, પછી તેની શ્રદ્ધા થાય છે, પછી દુવિહાર આદિ ભેટવાળા પ્રત્યાખ્યાનને સ્વીકાર થાય છે, પછી તેનું બરોબર પાલન થાય છે. પ્રત્યાખ્યાનનું ખરેખર પાલન થતાં આહાર સંબંધી વિરતિની વૃદ્ધિ થાય છે, અર્થાત્ ક્રમશઃ યથાશક્તિ અશનાદિ આહારના ત્યાગમાં વૃદ્ધિ થાય છે. આ બધું આહારના ભેદનું જ્ઞાન હોય તે થાય. આથી અહીં આહારના ભેદનું વર્ણન કરવું જરૂરી છે. ( જુના= ) જે અહીં આહારના ભેદનું વર્ણન ન હોય તે જ્ઞાન–શ્રદ્ધાપાલન-વિરતિવૃદ્ધિ એ ચાર ન થાય. આથી પ્રત્યાખ્યાન સંબંધી જ્ઞાન વગેરે થાય એટલા માટે આહારના ચાર ભેદેનું વર્ણન જરૂરી છે. (૨૬)
અશન આહારનું સ્વરૂપ:असणं ओयण-सत्तुग-मुग्ग-जगाराइ खजगविही य । खीराइ-सूरणाई, मंडगपभिई य विष्णेयं ॥ २७ ॥
ચોખા વગેરે અનાજ, શેકેલા જવ વગેરેનો લેટ, મગ વગેરે કઠોળ, રાબડી વગેરે, (વાહિક) તળીને બનાવેલ પૂરી વગેરે અને શેકીને બનાવેલ સુખડી વગેરે પકવાન્નના પ્રકારે, દૂધ અને તેમાંથી બનેલ દહીં, ઘી, છાશ, કઢી વગેરે, સૂરણ વગેરે સર્વ જાતિનાં શાક, ખાખરા વગેરે અશન જાણવું. (૨૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org