________________
: ૧૨ :
૧ શ્રાવકધર્મ–પંચાશક
ગાથા-૩
સમ્યક્ત્વનું ફળ:-સમ્યકત્વ હેય ત્યારે મિથ્યાત્વને દક્ષ પશમ હોવાથી અસગ્રહ-મિથ્યાઆગ્રહ હેત +નથી.
સમ્યક્ત્વનું બીજુ ફળ-શુશ્રુષા (=ધર્મશાસ્ત્રશ્રવણની ઈચ્છા) વગેરે ગુણે વિશેષરૂપે હોય છે.*
પ્રશ્ન – શુશ્રુષાદિ–ગુણે મિથ્યાત્વદશામાં હોય કે નહિ?
ઉત્તર- હાય, પણ સામાન્યરૂપે હોય. જ્યારે સમ્યક્ત્વ અવસ્થામાં વિશેષરૂપે હોય છે. આથી જ અહીં “હૃ= વિશેષ રૂપે” એમ કહ્યું છે.
પ્રશ્ન:- અમુક જીવમાં સમ્યક્ત્વ છે કે નહિ તેને નિર્ણય શી રીતે કરી શકાય?
ઉત્તર- વિશેષરૂપે રહેલા શુશ્રષાદિ વગેરે ગુણેથી સમ્યકુત્વને નિર્ણય કરી શકાય. જે જીવમાં શુશ્રષા વગેરે ગુણવિશેષરૂપે દેખાય તે જીવમાં અવશ્ય સમ્યક્ત્વ હોય છે. આથી જ શુશ્રુષાદિ ગુણને સમ્યકત્વનું લિંગ (સમ્યકત્વને જણાવનાર) કહેવામાં આવે છે.
પ્રશ્ન –જિનેક્તિ પદાર્થોની શ્રદ્ધા સમ્યક્ત્વ છે. શ્રદ્ધા એટલે આ આમ જ છે એવી રુચિ. રુચિ માનસિક અભિ
* ક્ષયપશમના ઉપલક્ષણથી ઉપશમ અને ક્ષય પણ સમજવા. + અસદ્ગહ મિથ્યાત્વ કર્મના ઉદયથી થાય છે. સમ્યક્ત્વ અવસ્થામાં મિથ્યાત્વના ક્ષયે પશમાદિ હોવાથી ઉદય ન હોય. આથી અસંગ્રહ પણ ન હોય. ૪ શ્રાવકધર્મ વિધિપ્રકરણ-૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org