________________
ગાથા-૩૧
૪ પૂજાવિધિ—પંચાશક
: ૨૭૧ :
- પ્રશ્ન – નિદાનમાં માગણી કરવામાં આવે છે અને પ્રણિધાનમાં પણ માગણી કરવામાં આવે છે. આથી પ્રણિધાન નિદાન સ્વરૂપ છે. આથી જેમ નિદાન (નિયાણું) નહિ કરવું જોઈએ તેમ પ્રણિધાન પણ નહિ કરવું જોઈએ.
ઉત્તર- નિદાનમાં અશુભની (-સંસારસુખની માગણી કરવામાં આવે છે. જ્યારે પ્રણિધાનમાં શુભની માગણું કરવામાં આવે છે. અશુભની માગણી નિદાન છે, નહિ કે શુભની માગણી. પ્રણિધાન શુભ મનેરથરૂપ હોવાથી નિદાનરૂપ નથી. પ્રણિધાન બોધિની પ્રાર્થના તુલ્ય છે. લોગસ વગેરે સૂત્રમાં આવોહરામ વગેરેથી પ્રભુ પાસે બોધિની (સમ્યગ્દર્શન વગેરેની) માગણી કરવામાં આવે છે. જેમ તે બોધિની માગણ શુભ ભાવનું કારણ હોવાથી નિદાનરૂપ નથી, તેમ પ્રસ્તુત પ્રણિધાન (શુભ માગણી) પણ શુભભાવનું કારણ હોવાથી નિદાનરૂપ નથી. જે પ્રણિધાન નિદાનરૂપ હોય તે ચિત્યવંદનના અંતે પ્રણિધાન ન થઈ શકે, કારણ કે શાસ્ત્રમાં નિદાનને નિષેધ છે. (૩૦) પ્રણિધાનની અનિવાર્યતા – एवं तु इदसिद्धी ?. दव्वपवित्तीउ अण्णहा णियमा । तम्हा अविरुद्धमिणं, णेयमवत्थंतरे इचिए ॥ ३१ ॥ પ્રશ્ન:- પ્રણિધાન ન કરે તો શું વાંધે છે?
ક નિષર્માસિટામrsfમથી ! (લોગસ્સ ઉપર લલિત વિસ્તરા ટીકા.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org