SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૫૮ : ૪ પૂજાવિધિ—પંચાશક ગાથા--૧૬ ઉત્તર- એમ કહેવું વ્યાજબી નથી. કારણ કે જીવાભિગમમાં નહિ જણાવેલ નિવેદ્ય, દીપક અને ગોચન વગેરે અહીં જણાવેલ છે અને જીવાભિગમમાં જણાવેલ પૂજાની સામગ્રી સંપૂર્ણ નથી. આથી જ જીવાભિગમમાં નંદાપુષ્કરિણી (વાવડી)ના પાણીથી પ્રક્ષાલન કરવાનું કહ્યું હોવા છતાં જબૂદ્વીપપ્રજ્ઞપ્તિમાં વિવિધ પ્રકારના પાણુથી અને (સુગંધી) માટી, તુવર વગેરે દ્રવ્યોથી પ્રક્ષાલન કરવાનું કહ્યું છે. પ્રશ્ન- ઘી વગેરે દ્રવ્ય બગડવાથી ખરાબ ગંધવાળા થઈ જતાં હોવાથી તે દ્રવ્યથી પ્રક્ષાલન કરવું એગ્ય નથી. ઉત્તર- ખરાબ ગંધવાળા પદાર્થોથી પૂજા નહિ કરવી જોઈએ, કિંતુ શુભ ગંધવાળા દ્રવ્યથી પૂજા કરવી જોઈએ એ વિષયમાં કોઈને વિવાદ નથી. ગંધ વગેરેથી સુંદર ઘી વગેરે દ્રવ્ય જિનપ્રતિમાની શોભા કરનારાં છે અને પૂજા કરનાર તથા પૂજા જેનારને ભાવલાસ કરનારાં છે. આથી ગંધ આદિથી સુંદર (ઘી વગેરે) દ્રવ્યોથી જ પ્રક્ષાલન કરવું જોઈએ, કારણ કે આ ગ્રંથમાં જ આગળ કહેશે કે “અન્ય કાર્યોનો ત્યાગ કરીને જેમ શોભે તેમ સારી રીતે પૂજા કરવી જોઈએ.” (૧૪-૧૫) ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરવાનું કારણ पवरेहि साहणेहि, पायं भावो वि जायए पवरो। ण य अण्णो उवओगो, एएसि सयाण लट्ठयरो ।।१६।। ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરવાથી પ્રાયઃ ભાવ પણ ઉત્તમ જાગે છે, તે ભાવથી અશુભ કમનો ક્ષય થાય છે. (૧૦ ભાટ ઉ૦ ૬ ગા૦ ૧૮૮ ) કહ્યું છે કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy