SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ : ૩ ત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૧૦ = રિકાએ આવીને પ્રસૂતિકાર્ય કરે છે. ઈંદ્રનું સિંહાસન કંપે છે, ઇંદ્રો અને દેવતાઓ ભગવાનને મેરુ પર્વત ઉપર લઈ જઈને જન્માભિષેક કરે છે..દિકકુમારિકાઓ, ઈદ્રો, દેવતાઓ ભાગવાનની આવી ભક્તિ કરે છે છતાં ભગવાનના અંતરમાં એ બદલ જરાય ગર્વ થતો નથી. આવી બીજી પણ જન્મ સમયની અનેક બાબતનું ચિંતન કરવું જોઈએ. રાજ્યાવસ્થામાં ભગવાન રાજ્ય કરતા હોવા છતાં વિરાગભાવે રહે છે અનિચ્છાએ “ચારિત્ર મેહનીય કર્મો ખપાવવા માટે જ” રાજય ચલાવે છે વગેરેનું ચિંતન કરવું જોઈએ. શ્રમણ અવસ્થામાં ભગવાન દીક્ષા લીધા પછી અપ્રમત્તપણે ચારિ. ત્રનું પાલન કરે છે, ઘેર પરિષહ સહન કરે છે, ઘાતી કર્મો ખપાવીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે વગેરેનું ચિંતન કરવું જોઈએ. (૨) પદસ્થ:- કેવલજ્ઞાન પછીની અવસ્થા પદસ્થ અવસ્થા છે. પદસ્થ અવસ્થામાં ભગવાન કેવળજ્ઞાનથી ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળનું સઘળું જાણે છે. ધર્મ તીર્થની સ્થાપના કરે છે. દરરોજ બે પહેર દેશના આપીને અને ધર્મ પમાડે છે વગેરે ચિંતવવું જોઈએ. ૩ રૂપાતીત - રૂપાતીત એટલે સિદ્ધ અવસ્થા. અરિહંત ભગવાન ઘાતી-અઘાતી સઘળા કર્મો ખપાવીને સિદ્ધ બને છે– માક્ષમાં જાય છે. હવે તેમને જન્મ નહિ, મરણ નહિ, શરીર નહિ, કઈ જાતનું જરા પણ દુઃખ નહિ, અનંત અવ્યાબાધા સુખની પ્રાપ્તિ થાય છે વગેરે ચિંતવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy