SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪] મન્મથ વ્યાકુળતા આયુર્વેદ. ૧૫૧૧ પર વિજય મેળવે છે એટલે પિત્તને શમાવે છે અને તુરો રસ, તીખા રસ અને કડવા રસ કફ્ પર વિજય મેળવે છે એટલે કને શમાવે છે. “ શરીરમાં પેટની અંદર અજીર્ણ ચાર પ્રકારનાં થાય છે. બધા વ્યાધિઓનું મૂળ અજીર્ણમાં હોવાથી તેના સંબંધી ખાસ વિચાર કરવાની જરૂર છે. એ ચાર પ્રકારનાં અજીહ્નાં નામે આ પ્રમાણે છે: આમાજીર્ણ, વિદગ્ધાજીર્ણ, વિષ્ટધાજીર્ણ અને રસશેષાજીર્ણ, એ ચાર પ્રકારના અજીર્ણની નિશાનીએ પ્રથમ સમજી લેવા જેવી છે. આમ નામના અજીર્ણમાં જે વસ્તુ ખાધી હોય તેના જેવી જ ગંધ આવે છે, દાખલા તરીકે સાકરટેટી કે તરમૂજ કે કેરી ખાધેલ હોય અને તેના જ ઓડકાર આવ્યા કરે તો સમજવું કે આમ નામનું અજીર્ણ થયું છે; આ અજીર્ણમાં ખાધેલ વસ્તુના રસ થતા જ નથી તેથી તેની ગંધ આવ્યા કરે છે. વિદગ્ધ નામના અજીર્ણમાં ધૂમાડાની ગંધ આવ્યા કરે છે, છારૈયા ઓડકાર જેને કહેવામાં આવે છે તે આ અજીર્ણમાં થાય છે. વિન્ધ નામના અજીહુંમાં શરીર ભાંગ્યા કરે છે, આળસ આવે છે, બગાસાં આવ્યા કરે છે, શરીર માંડતું નથી અને રસશેષ નામના ચોથા પ્રકારના અજીર્ણમાં અન્ન પર દ્વેષ થાય છે, ખાવાનું ગમતું નથી અને ખેારાક તરફ જરાએ રૂચિ થતી નથી. te ‘ સદરહુ ચાર પ્રકારનાં અજીર્ણમાંથી કયું અજીણું છે તેના નિર્ણય થઇ ગયા પછી જો આમ ’ નામનું પ્રથમ અજીર્ણ હોય તે વમન કરાવવું, ઉલટી કરાવવી અને પેટને તે દ્વારા સાફ કરાવવું; ‘ વિદગ્ધ 'નામનું અજીર્ણ થયું હોય તેા છાશ પીવી; · વિશ્વ' નામનું અજીર્ણ થયું હાય તેા શેક કરવા અથવા નાહ લેવા અને રસશેષ નામનું અજીર્ણ થયું હોય તેા સુઇ જવું, ઉંઘી જવું. ચારે પ્રકારના અજીર્ણની એ નિશાની અને નિવારણના ઉપાયો છે. સર્વ રોગો અજીર્ણમાંથી થતાં હાવાથી તેના ઉપર ખાસ લક્ષ્ય રાખવાની જરૂર છે. ( કપાલ કહે છે કે )—આ પ્રમાણે હોવાથી આ કુમારને ( હરિકુમારને ) અંદરના તાપ (તાવ) અને અજીર્ણના વિકાર થયા હાય એમ જણાય છે. તેનું અજીર્ણ વિદગ્ધ નામના બીજા પ્રકારનું હોય તેમ જણાય છે કારણ કે, અને વાયુ અને પિત્ત બન્ને એક સાથે ઉછળ્યા છે અને વધી પડ્યા છે. એ વાયુ અને પિત્ત બન્નેએ મળીને આને અંદરના જ્વર ( તાવ ) ઉત્પન્ન કર્યો છે અને સ્થૂળ પણ તેથીજ થયું છે. શાસ્ત્રમાં કહ્યું છે કેઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy