SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૬ શમે છે, લઘુ વાયુ ગુરૂ દ્રવ્યના ઉપગથી મટે છે, ચળ વાયુ સ્થિર દ્રવ્યના ઉપયોગથી મટે છે, વિશદ દહીં જેવો વાયુ અચોખા દ્રવ્યના ઉપયોગથી મટે છે અને કઠ વાયુ પોચા પદાથેના વપરાશથી શમે છે. પિત્ત સેહવાળું (ચિકાશદાર) હોય છે, ગરમ હોય છે, તીખું હોય છે, દ્રવતું (પાતળું liquid) હોય છે અને ખાટું હોય છે. એ પાંચ પ્રકારના રસવાળું પિત્ત તેનાથી ઉલટા પ્રકારના ગુણેથી શમે છેઃ ચિકાશદારને માટે ચીકાશ વગરના પદાર્થને ઉપયોગ કરવાથી, ગરમને માટે ઠંડા પદાર્થના ઉપયોગથી, તીખાને માટે મોળા પદાર્થના ઉપગથી, કવતાને માટે ઘટ વસ્તુઓના ઉપયોગથી અને ખાટાને માટે ખારા પદાથેના ઉપયોગથી પિત્તનું શમન થાય છે. કફ ગુરૂ (ભારે) હોય છે, ઠંડે હોય છે, નરમ હોય છે, ચીકાશદાર હોય છે, મઠે હોય છે, ગેળ જેવો ચીકાશદાર હોય છે અથવા સુંવાળો હોય છે. એ પાંચ પ્રકારથી યુક્ત કફ તેનાથી વિપરીત ગુણવાળા પદાર્થોના વપરાશથી શાંત થાય છે એટલે ભારે કફને માટે હળવા પદાર્થોને ઉપયોગ કરો, ઠંડા કફને માટે ગરમ પદાર્થોને ઉપયોગ કરે, નરમ કફને માટે સખત પદાર્થોને ઉપયોગ કરે, ચીકાશદાર કફને માટે ચીકાશ વગરના પદાર્થોને ઉપયોગ કરવો, મીઠા કફને માટે કડવા પદાથને ઉપગ કરવો, ગેળ જેવા કફને માટે ચીકાશ વિનાના પદાર્થોને ઉપયોગ કરવો અને સુંવાળા કફને માટે ખરસટ પદાર્થોને ઉપયોગ કરવો. તેમ કરવાથી વધી ગયેલ કફના દોષો શમી જાય છે. વૈદ્યકશાસ્ત્રમાં રસ છ પ્રકારના બતાવવામાં આવ્યા છે મીઠે (ગળપણવાળ), ખાટો, ખારો, તીખો, કડવો અને તુર. એ છ રસો પૈકી મીઠે ખાટો અને ખારો રસ કફ વધારનાર અને ઉત્પન્ન કરનાર છે, તેરે તીખ અને કડવો રસ વાયુ વધારનાર અને ઉત્પન્ન કરનાર છે અને તીખો ખાટો અને ખારે રસ પિત્તરસને ઉત્પન્ન કરનાર અને વધારનાર છે. હવે મીઠે રસ, ખાટે રસ અને ખારે રસ વાયુ ઉપર વિજય મેળવે છે એટલે વાયુ પ્રકોપ થયો હોય ત્યારે એ રસને ઉપયોગ કરવાથી વાયુ શમે છે, તેવી જ રીતે તુરે રસ, મીઠે રસ અને કડવો રસ પિત્ત ૧ વૈદ્યકીય પરિભાષામાં “ કટક” એટલે તીખ રસ એવો અર્થ થાય છે અને * તિક્ત” એટલે કડવો અર્થ થાય છે અને “કષાય”નો અર્થ તુરો થાય છે. આ પ્રમાણે અહીં અર્થ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy