SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. શંખનાદ-મન્મથ જોર. પછી તેા કુમાર ઘડિકમાં સુવે, ઘડિકમાં બેસે, ઘડિકમાં ઊભા થાય, ઘડિકમાં અહીં તહીં ભમે, પણ જેમ નરકગતિના જીવાને નારકીમાં સુખ મળે નહિ તેમ કુમારને જરા પણ ચેન પડે નહિ, જે જે સુખશાંતિના ઉપાયો યાજવામાં આવે તેનાથી ઉલટી તેની વેદના વધતી જાય. આવી રીતે મદનઅગ્નિથી મળી જતાં એ રાજકુમારે શીતળ લતાગૃહમાં ઘણા વખત વીતાડ્યો પણ એની ગરમી ઓછી થઈ નહિ. પેલા મન્મથ વિગેરે મિત્રોએ કુતૂહળને લીધે કુમારની જે દશા થઇ હતી તે ગુપ્ત રીતે કુમાર ન જાણે તેમ જોયા કરી અને તેઓ અંદર અંદર કુમારની મરકરી ઇસારાથી કરતા રહ્યા. હવે તે વખતે મનુષ્યેાનાં શરીરમાં તાપ કરવા માટે જ કામદેવ પાકાર કરતા હાય તેવા મધ્યાહ્ન સમયના શંખ વાગ્યો. શંખ ઘણા જોરમાં લાંબા વખત સુધી વાગ્યા અને દૂરથી તેને અવાજ કુમારના કાનપર ગયા. એ વખતે કુમારને ઘેર લઇ જવા માટે મન્મથ વિગેરે સર્વ મિત્રો લતાગૃહમાં આવ્યા અને સર્વે કુમારને કહેવા લાગ્યા “દેવ! હવે અત્યારે ખરા મધ્યાહ્ન થયા છે માટે આપ ઘરે પધારો. ત્યાં જઇ દેવપૂજનાદિ નિત્યકર્મ કરી દિવસનું કામ હોય તે આટોપી લેા. ” હરિકુમારે જવાબમાં કહ્યું “અરે ભાઇ ! ધનશેખરને મારી પાસે મૂકીને તમે સર્વે ઘરે જાઓ, આ મારી વેદના ઓછી થશે એટલે હું પણ પછી ધનશેખર સાથે ઘેર આવીશ. અત્યારે તા મારા માથામાં ચાસકા આવે છે, અંદર તાપ વધતા જાય છે, તેથી આ શીતળ લતાગૃહમાં હું હજુ શાંતિ માટે વધારે વખત રહેવા માંગું છું.” કુમારને હૃદયની અંદરનેા તાપ હતેા, શેને લઇને તે તાપ આવ્યો હતા તે સર્વના ખ્યાલમાં બરાબર આવી ગયું અને તે સંબંધમાં તેની પ્રતીતિ પણ થઇ ગઇ, છતાં તે રાજકુમાર હેાવાથી તેને સીધી રીતે તે કહી શક્યા નહિ. જરા ડર ખાઇને તે અંદર અંદર નીચે પ્રમાણે વાત કરવા લાગ્યા અને તે સર્વ કુમાર સાંભળે તેમ ખેલતા હોવાથી તેનેા આશય કુમારના સમજવામાં પણુ અરામર આવી ગયા. આયુર્વેદ, વૈદું, ૧૫૦૮ 6% અરે કપાળ ! તું આયુર્વેદ (વૈદ્યવિદ્યા )માં ઘણા કામેલ છે ત્યારે ભાઈ! આ કુમારના શરીરમાં વિકાર થયો છે તે કયાં કારણાને - કેટલીક જગ્યાએ મધ્યાહ્ન ( અપેાર-બાર વાગ્યાના સમય) બતાવનાર તાપ ફોડવાના રિવાજ છે અને કાઇ જગ્યાએ શંખ વગાડવાના રિવાજ છે. Jain Education International [ પ્રસ્તાવ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy