SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪] મન્મથ વ્યાકુળતા આયુર્વેદ ૧૫૦૭* હરિકમારની વ્યાકુળતા, મેં તે વખતે કુમારને પૂછ્યું “કુમાર ! આ શું?” કુમારે જવાબ આપતાં કહ્યું “ભાઈ ધનશેખર ! કાલે રાત્રે મારું માથું દુઃખતું હતું તેથી મને ઉઘ આવી નહોતી. અત્યારે પણ તેની અસરથી મારું માથું જરા જરા દુઃખે છે અને મને ચક્કર આવે છે. તેથી આ મન્મથ વિગેરે મિત્રો મરજી આવે તે જાય અને મરજી આવે તો અહીં ફરે હરે. તું એકલો મારી પાસે રહે. ચાલ, આપણે આ બાજુના ચંદનલતાગૃહમાં જઈએ અને ત્યાં હું જરા શાંતિથી નિદ્રા લઉં.” કુમારની આવી ઈચ્છા જાણી મન્મથ વિગેરે સર્વે મિત્રો ત્યાંથી વિદાય થઈ ગયા અને માત્ર હું જ કુમારની સાથે રહ્યો. આવી રીતે અમારી વિનેદવાર્તાને અહીં અંત આવ્યો. પ્રકરણ ૪ થું. મન્મથ વ્યાકુળતા-આયુર્વેદ, | દ સ વ મિત્ર વિદાય થયા પછી હું (ઘનશેખર) અને હરિકુમાર લતામંડપમાં દાખલ થયા. મંડપમાં જઈને મેં ઠંડાં સુકોમળ પાંદડાંઓ એકઠાં કરી તેની પથારી બનાવી. એ તૈયાર કરેલી પથારી ઉપર કુમાર બેઠે. છે પરંતુ માછલું તપેલી રેતીમાં આવીને પડેલું હોય, તે જેમ તાપથી તરફડે તે પ્રમાણે કુમાર તે ઠંડા શયનપર પણ તરફડીઓ મારવા લાગ્યું, તેને જરા પણ શાંતિ ન થઈ કે સુખ ન આવ્યું. પછી મેં એને બેસવા સારૂ કમળ આસન (બેઠક) ગઠવી આપ્યું. કુમાર એ આસન ઉપર બેઠે. ત્યાં પણ શૂળિ ઉપર ચરને ચઢા હોય ત્યાં જેમ તેને સુખ મળે નહિ તેમ હરિકુમારને એ આસન ઉપર પણ નિરાંત વળી નહિ. ત્યાર પછી તે મારે ખભે વળગ્યો અને આમ તેમ ખુલવા લાગ્યો. એમ કરતાં પણ એના હૃદયમાં જે તાપ આવ્યો હતો તે છે કે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy