SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ હરિકુમાર-વિદ. ૧૪૮૫ પ્રકરણ ૩] હરિવિલાસ, પધકેસરે સવાલ કર્યો – पश्यन् विस्फारिताक्षोऽपि, वाचमाकर्णयन्नपि । कस्य को याति नो तृप्ति, किं च संसारकारणम् ॥१॥ ભાવાર્થ–બહુ ખુલ્લી આંખ ઉઘાડીને જેતે હોય અને વાણી સાંભળો હોય છતાં કોને અને કેની શાંતિ થતી જ નથી, કેને સંતેષ વળતો જ નથી? અને સંસારનું કારણ કયું છે?” આનો ઉત્તર આપે. હરિકમારે સવાલ તો સાંભળ્યો પણ તેનું મન તો ચિત્રમાં આળેખેલી કન્યાએ હરણ કરી લીધુ હતું તેથી તેણે માત્ર ટંડે હોંકારે આપે. પવકેસરને મનમાં વિચાર થયો કે પોતાનો સવાલ હરિકમારા ધ્યાનમાં બરાબર આવ્યો નથી માટે ફરીવાર વધારે સ્પષ્ટ રીતે એ શ્લેક તેનાં લક્ષ્યમાં આવે તેમ બોલું. એ વિચારથી પદ્મકેસર સવાલવાળે ઉપર લેક ફરીવાર બેલી ગયે પણ તેના જવાબમાં હરિ કુમારે તો શૂન્ય હોંકારે જ આપે. આથી પદ્ધકેસરને બરાબર ખાત્રી થઈ કે ચિત્રમાં આળેખેલી કન્યાએ કુમારને તદ્દન શૂન્ય હૃદયને બનાવી દીધું છે એટલે એ જરા હસી પડ્યો. બીજા મિત્રોએ પણ અરસ્પરસ મશ્કરી કરતાં હાસ્ય કર્યું અને તેઓ હસતાં હસતાં એક બીજાનાં મુખ તરફ જેવા લાગ્યા, એ જોઇને હરિકુમારનું મન જરા ઠેકાણે આવી ગયું. તેને લાગ્યું કે આ તો મિત્રો પણ તેને પારખી ગયા તે ઠીક ન થયું એટલે તેના મનમાં અભિમાન જાગ્રત થયું. એથી પિતાના મનમાં જે કન્યાસંબંધી સંકલ્પવિકલ્પ થતા હતા તે તેણે દાબી દીધા અને બરાબર ધ્યાન રાખીને સાંભળવા લાગ્યો. તેના મનમાં કાંઈક વિચાર પણ આવ્યું. પછી તે બોલ્યો “અરે મિત્ર! તું હસ નહિ, ખાલી મશ્કરી કરવાની ટેવ છેડી દે, તારે સવાલ ફરીવાર બલી જા.” એટલે ઉપરનો શ્લેક સવાલના આકારમાં પકેસર ફરીવાર બોલી ગયો. આ વખતે કુમારનું સવાલ ઉપર લક્ષ્ય હતું એટલે જેવો સવાલ પૂરે થયે કે તેના મનમાં ઉત્તર આવી ગયો અને તેણે જવાબ આપે. “મમત્વ' અહીં હરિકુમારની જેવી દશા થઈ છે, જેમ તે અર્ધ ઉત્તર આપે છે અને પાછા વિચારમાં પડી જાય છે તેવી સ્થિતિ જ્યારે પ્રાણી વિષયમાં આસક્ત થાય છે ત્યારે જરૂર થાય છે. અવલોકન કરવાથી તે જણાય તેવી વાત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy