SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ "મન્મથ (રમણીય સ્મિત મુખે)-“અરે ભાઈ! આ અંદરખાનેથી અનેક પ્રકારના જૂદા જૂદા રસનો અનુભવ કરાતો પણ બહારથી ઇદ્રિ કે હાથના ચાળા વગરને આંતરના શે ચાલી રહ્યો છે ?” આ એકદમ સીધો સવાલ સાંભળીને હરિ કુમારે આકારસંવરણ કર્યું અને પછી મુખેથી મન્મથને કહેવા લાગ્યો “અહો ! આ ચિતારાની કુશળતા જોઈને હું તો બહુ રાજી થઈ ગયો છું. મિત્ર! તું જો તો ખરેઃ આ ચિત્રમાં દરેકે દરેક રેખા બરાબર સ્પષ્ટ ચોખી અને ભૂલ વગરની જણ્ય છે, એમાં જે ઘરેણું ચિત્ર પરીક્ષા. પહેરાવવામાં આવ્યાં છે તે એક બીજાની સાથે બરાબર An appre સંબંધમાં આવી રહ્યાં છે મેળ ખાય છે, એમાં રંગ અને ciation. છાયા બરાબર યોગ્ય અનુકમથી લીધાં છે, અને ભાવ બરાબર ફુટ રીતે દેખાઈ આવે તેવું એ ચિત્રનું કામ આબેહુબ કરવામાં આવ્યું છે. ચિત્રમાં બરાબર ભાવ લઇ આવવો તે કામ ઘણું જ મુશ્કેલ છે અને ઘણું હશિયાર પરીક્ષકે ચિત્રમાં એ જ હકીકત ધ્યાન આપીને જુએ છે, કારણ કે ચિત્રમાં પરીક્ષા કરવા લાયક તેમને એ જ હકીકત જણાય છે. એ ભાવ આ ચિત્રમાં બહુ સ્પષ્ટ રીતે સારી રીતે અને યોગ્ય રીતે બહાર પડતો જણાઈ આવે છે. એ પ્રમાણે કહેવાનું કારણ એ છે કે આ ચિત્રમાં ચિલી કન્યા જાણે બાળવય પસાર કરી યુવાવસ્થાના બારણું ઉપર ઊભી હોય, કામદેવ તેના ઉપર પિતાનું કાર્ય બજાવી રહ્યા હોય એ ભાવ તેને એવી સુંદર રીતે સ્પષ્ટ જણાઈ આવે છે કે વગર કહ્યું એક નાનો બાળક હોય તે પણ એ ભાવ જોઈ શકે, તે પછી વિદ્વાનોને તે તેમ થાય તેમાં કાંઈ નવાઈ જ નથી. જે એ ચિત્રમાંહેની કન્યાને સ્તનનો અગ્ર ભાગ ભેદ પામે છે તે જાણે લાવણ્યને જ બહાર કાઢી રહ્યો હોય એમ લાગે છે ! વળી અગોપાંગની રચનાથી એ પોતાનાં સદાર યૌવનને સ્પષ્ટ રીતે બરાબર બતાવી રહી છે; ઊંચી ચઢાવેલી ભ્રમરની રચના ૧ મસથ એટલે કામદેવ અથવા કામચિતા. આ વાર્તાલાપ મનમાં જ ચાલે છે એમ જાણવું. ૨ આંતરનાચ નાચ હોય તો માથું ડોલે વિગેરે ઇંદ્રિય વ્યાપાર ચાલે, અને હાથના હુંકા લેવાય, આ તો અંદરથી જબરે નાચ ચાલે છે, અનેક રસ અનુભવાય છે અને બહારથી ચાળાચસકા દેખાતા નથી-એ આંતરનાચ છે. - ૩ શરીર ઉપરનાં મનને જણાવનારાં ચિકોને છુપાવી દેવાં-સંતાડવાં એને આકારસેવરણ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy