SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩] હરિકુમાર-વિદ. ૧૪૮૮ તેની પાસે જ લઈ જઈ, મામાને ભાણેજ પી આવું, જેથી તે બરાબર ઉછરશે અને તેનું બરાબર રક્ષણ થશે. આ સથવારે તે રીતે જોતાં ઠીક મળી ગયો. પછી તે ધરણ સાર્થવાહની સંમતિ મેળવી તેની સાથે હું રસદ્વીપે આવી. એ પુત્ર ઉપર મને ઘણે સ્નેહ થવાથી મારાં સ્તનોમાં દૂધ ભરાઈ આવ્યું. મને ધાવીને જ એ પુત્ર વધવા માંડયો. રવદ્વીપે આવ્યા પછી એ પુત્રને મેં મહારાજા નીલકંઠને બતાવ્યો અને કમળ સુંદરી સંબંધી સર્વ હકીકત તેને કહી સંભળાવી. નીલકંઠ રાજાને શોક અને હર્ષ સાથે થયાં. તેણે છોકરાનું હરિ નામ પાડ્યું. અનુક્રમે તે ભાણેજ તરીકે વધવા માંડ્યો અને નીલકંઠ રાજાને તે પોતાના જીવતરથી પણ વધારે વહાલ થઈ પડ્યો. ત્યાર પછી તેને કળાવિજ્ઞાનની કેળવણી આપવામાં આવી. અત્યારે તે કુમાર યૌવનવયને પામે છે અને દેવકુમાર જેવો સુંદર આકાર ધારણ કરી અત્યારે મામાના રાજ્યમાં મોજ માણે છે. મેં તેને અગાઉની સર્વ હકીકત જણાવી છે. તેને હમણું સમાચાર મળ્યા કે તમે પોતે આનંદપુર નગરના રહેવાસી છે અને આનંદપુરથી અહીં આવ્યા છે. તેથી કુમાર પોતાના દેશના જાણીને તમને મળવા ઇચ્છે છે. માટે દીકરા ! તમે તેની પાસે ચાલે.” પરદેશમાં સ્વદેશીને મેળાપ, ઓળખાણ, આનંદ, મૈત્રી, સ્નેહીના દિવસો પસાર.. હરિકમારની માતાની દાસી અને કુમારની ધાવમાતાનાં આવાં વચન સાંભળી મેં તેની સાથે જવાનું કબૂલ કર્યું. પછી તુરત જ હું હરિકમાર સમીપે ગયો. ત્યાં જઈને હું જોઉં છું તે હરિકુમાર પોતાના મિત્રોનાં ટોળાની વચ્ચે બેઠે છે. મેં જઈને તુરત જ હરિ કુમારને પ્રણામ કર્યા. વસુમતી દાસીએ મારું ઓળખાણ કુમાર સાથે કરાવ્યું. મને મળવાથી અને જેવાથી કુમાર પોતાના મનમાં ઘણે રાજી થયો, પ્રીતિથી પોતાની આંખો વધારે વિકસ્વર કરવા લાગ્યો અને ઘણી હસથી હદય સાથે ભેટીને પોતાના અધે આસન ઉપર તેણે મને બેસાડ્યો. ૧ આ વાત તદ્દન બનવા જોગ છે. સ્ત્રીને અપત્યસ્નેહથી દૂધ સ્તનમાં ભરાય છે અને પારકા છોકરા ઉપર તેમ થાય તે પણ કવચિત બની આવે છે. ૨ આ મિત્રોનાં નામ આવતા પ્રકરણ ઉપરથી નીચે પ્રમાણે જણાય છે: મન્મથ, લલિત, પકેસર, વિલાસ, વિશ્વમ અને કપલ. એ સર્વ કામદેવના સેનાનીઓ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy