SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩] હરિકુમાર–વિનાદ. ૧૪૮૭ “ ભાઇ! તને ખબર છે કે 'આનંદપુરમાં કેસર રાજા રાજ્ય કરે છે. તે રાજાને બે રાણી હતી; એક જયસુંદરી અને બીજી કમળસુંદરી. જયસુંદરી હજી જીવે છે એ હકીકત તું જાણે છે. કમળસુંદરી સંબંધી હકીકત તને કહું છું. એ કેસરિ રાજાને રાજ્ય ઉપર અત્યંત રાગ હાવાથી પેાતાને છેકરા થશે તે પેાતાને મારી નાખી રાજ્ય પચાવી પડશે એવી આશંકાથી જેવા છેકરા જન્મે છે કે તરત જ તેને મારી નાખે છે; આવી રીતે તેણે તુરતના જન્મેલા કેટલાએ છોકરાને સ્વધામ પહોંચાડી દીધા છે. આ હકીકત કમળસુંદરીના જાણુવામાં આવી ગઇ. એકદા તેને ફરીવાર ગર્ભ રહ્યો. ગર્ભમાં રહેલા આળકપર માતાના સ્વાભાવિક સ્નેહ હોય છે તે પ્રમાણે કમળસુંદરીએ પુત્રમેાહથી વિચાર કરીને એક રાત્રે રાજમંદિરેથી નાસી છૂટવાના રસ્તા પકડ્યો. નાસતી વખત પેાતાની સાથે દાસી તરીકે મને લઇ લીધી. અંધકારમય રાત્રીએ અમે બન્ને રાજગૃહમાંથી નાઠા. આગળ વધતાં એક માટી ભયંકર અટવી આવી. કમળસુંદરી જાતે સુકેામળ અને કદિ ચાલેલ ન હોવાથી તેને ઘણું દુઃખ પડ્યું. પ્હો ફાટવાનેા વખત થવા આવ્યા. તે વખતે એ મારી શેઠાણીનું નિતંખિ વિકસ્વર થવા લાગ્યું, ડુંટીમાં વેણુ આવવા માંડી, પેટમાં દારૂણ શૂળા આવવા લાગી, પગ ચાલતાં અટકી પડ્યા, શરીર આખું જાણે દખાઇ જતું હોય તેમ ભાંગવા માંડ્યું, હૃદયમાં ધબકારા થવા માંડ્યા, આંખા મીંચાઇ ગઇ અને બગાસાં (અવાચી) ઉપર અગાસાં આવવા માંડ્યાં. એટલે તે મહારાણી એટલી ‘સિખ વસુમતી! હવે હું એક ડગલું પણ આગળ ભરી શકું તેમ નથી, મારા શરીરમાં ઘણી સખ્ત પીડા થાય છે અને મારૂં આખું શરીર મહા વ્યથા ભાગવે છે.' મેં તે વખતે વિચાર કર્યો કે અરે આ તે શું હશે ? તે જ વખતે મારા ધ્યાનમાં આવી ગયું કે અહા ! રાણીને માળક અવતરવાના સમય નજીક આન્યા જણાય છે. પછી મેં રાણીને ધીરજ આપી અને સુવાવડના સમયને યોગ્ય તે સ્થાનમાં બનતી સગવડ કરી. ત્યાં તે વેદનાથી વ્યાકુળ થઇને મારી સ્વામિની એક મેાટી રાડ પાડીને જમીનપર પડી ગઇ, પછાડી ખાઇને મોટેથી હાયવાયના અવાજ કરવા લાગી, એટલામાં તેને પુત્રને પ્રસવ થયા અને ત્યાર પછી તુરત જ બીજી ક્ષણે એ સુકેામળ સુંદરીનાં પ્રાણ ઉડી ગયાં. ૧ ધનશેખર પણ આનંદપુરને જ છે. નામ આ પ્રસ્તાવની શરૂઆતમાં આવી ગયાં છે. એ રાજાની મરી ગયેલી રાણી છે એ હકીકત આગળ વાંચતાં સ્પષ્ટ થશે. કેસર રાજા અને જયસુંદરીના જુએ પૃ. ૧૪૪૬, કમળસુંદરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy