SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮૩ પ્રકરણ ૨] ધનની શેધમાં. થતાં કુલટા દુર્ભાગી પતિને તજી દે છે તે પ્રમાણે). પિતાનું સર્વે કામકાજ બંધ કરીને જે બીજે ઠેકાણે પિતાનું ચિત્ત પરોવે છે, જે ધનોપાર્જનનું કામ બંધ પાડી દે છે, તેના તરફ એ કુળવાન સ્ત્રીની “પેઠે લજજાપૂર્વક જુએ છે, તેની સાથે તે પ્રેમગોષ્ટિ કરતી નથી, પણ તેનું ચિત્ત આમ તેમ અસ્થિર રહે છે (મતલબ તેની સાથે “તે ખર પ્રેમપ્રસંગ જમાવતી નથી). ગમે તેવા ખરાબ સંગોમાં કે સ્થિતિમાં આવી પડ્યો હોય છતાં પણ જે પ્રાણી ધન મેળવવાનો ઉત્સાહ છોડતો નથી તેની છાતી ઉપર પોતાની મેળે વગર પ્રેરણાએ લક્ષ્મી આવી પડે છે, તેને જાતે વરે છે અને તેના “ઉપર ફીદા થઈ જાય છે. જે ધીરજવાળે પ્રાણી પોતાની બુદ્ધિડહાપણ વાપરીને લક્ષ્મીને પરાક્રમથી અથવા યુક્તિકળાથી બાંધી “રાખે છે તેના તરફ લક્ષ્મી પ્રોષિતભર્તૃકા સ્ત્રીની પેઠે રાહ જુએ છે. (જે સ્ત્રીને પતિ પરદેશ ગયો હોય તેને “પ્રોષિતભર્તૃકા ” કહેવામાં આવે છે. એવી કુળવાન સ્ત્રીઓ વિદેશમાં રહેલા પતિના આગમનની રાહ જોતી તે દિશા સનમુખ વારંવાર દષ્ટિ દે છે તેમ લક્ષ્મી “પણુ આવા પુરૂષોની સન્મુખ જ દૃષ્ટિ રાખે છે.) જે પ્રાણીને જરા થેડી લક્ષ્મી મળે ત્યાં તો તે સંતોષ પામી જાય છે તેના તરફ એ “લક્ષ્મીદેવી હલકી નજરથી જુએ છે, તેવા પ્રાણીને તે તુચ્છ પ્રકૃ“તિનો માને છે અને પોતે જરા પણ તેને ત્યાં વૃદ્ધિ પામતી નથી. જે પ્રાણી પિતાના તેવા પ્રકારના ગુણોથી લક્ષ્મીદેવીને રીઝવતે નથી તેને એ દેવી સાથે પ્રેમસંબંધ સિદ્ધ થયું હોય તે પણ તે લાંબે વખત ચાલતું નથી. આ પ્રમાણે હોવાથી સમજુ માણસે પૈસા “એકઠા કરવાની બાબતમાં કદિ પણ સંતોષ ન કરે. માટે વડી“લશ્રી! મને રસદ્વીપે જવાની આજ્ઞા જરૂ૨ આપે.” - બકુલ શેઠે આ લાંબા સંભાષણનો મને ટુંકામાં જ જવાબ આપ્યો કે–પ્રાણી પાતાળમાં જાય કે, મેરૂ પર્વતના શિખર ઉપર ચઢે, રતદ્વીપે જાય કે ઘરે રહે, ગમે તેટલો ઉદ્યમ કરે કે ઉદ્યમ વગર બેસી રહે પણ તેણે પૂર્વે જેવી વાવણું કરી હોય તે પ્રમાણે જ તેને કળ પ્રાપ્ત થાય છે; છતાં તમારો પરદેશ જવાનો આટલે બધે આગ્રહે છે તે જાઓ, મારી રજા છે, તમને ગમે ત્યાં જાઓ.” જવાબ આપતાં મેં એ બાબત સસરાજીને આભાર માન્યો. ( ૧ શેઠની દલીલ રૂચે તેવી નથી, પણ આગળ કથા વાંચતાં તેનું સત્ય સમજશે. યોગ્ય ઉદ્યમની મના નથી, પણ ધનશેખરની વાત તો માત્ર ઉદ્યમપ્રધાન છે. કથા આગળ વાંચતાં આ બાબતને સ્વતઃ નિર્ણય થઈ જશે. શેઠે જોયું કે ધનશેખર વાર્યો રહે તેમ નથી તેથી વગર મને તેમણે રજા આપી એ તેમની દીર્ધ દૃષ્ટિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy