SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ હવે દેવી મહાભદ્રા સાધ્વી પણ પ્રવર્તીની યાગ્ય પાતાની ફરજ બજાવી પાતાને યાગ્ય ક્રમપૂર્વક આગળ વધતાં ક્ષપકશ્રેણિમાં આરૂઢ થઇ સર્વ કર્મોને ભસ્મીભૂત કરી માક્ષે ગયા; પણ એના સંબંધમાં એટલો ફેર પડ્યો કે એ ભક્તપરિજ્ઞા' અણુશણુ પૂર્વક માક્ષે ગયા. સુલલિતા મેાક્ષ, ૨૦૦૨ સુલલિતા સાધ્વીએ ઉપર જણાવ્યાં તે તપા બહુ પ્રકારે આદર્યા તેને પરિણામે રત જેમ ખારથી નિર્મળ થાય છે તેમ તેનું ચિત્તરન વધારે નિર્મળ થતું ગયું. આખરે શરીરરૂપ પાંજરાને છેડી કર્મોના ક્ષય કરી ભક્તપરિજ્ઞા અણુરાણ વડે તેઓ મોક્ષે ગયા. * * શ્રીગર્ભરાજ અને બીજા સાધુ પણ અનેક તાનું આરાધન કરી દેવલાકે ગયા તથા સુમંગળા વિગેરે બીજી સાધ્વીઓ પણુ દેવલાકે ગઇ. ટુંકામાં કહીએ તેા એ મનેાનંદન ઉદ્યાનમાં જે જે પ્રાણીઓ શ્રીસમંતભદ્રસૂરિ મહારાજની પાસે આવ્યા હતા અને જેમણે એમનું ચરિત્ર સાંભળ્યું હતું તે સર્વની પ્રગતિ થઇ. જેઓએ દૂર રહીને કૌતુકથી પણ દેશના સાંભળી હતી તેમનું પણ કલ્યાણ થયું. જેઓએ એ વાર્તા સાંભળી તેઓનું મન પણ ભવપ્રપંચથી વિરક્ત થયું, દૂર થયું, આછે વધતે અંશે તેમાંથી આધું ગયું. એને પરિણામે કેટલાક શ્રોતાઓએ દીક્ષા લીધી, કેટલાકે ગૃહસ્થધર્મ આદર્યો, કેટલાક સમકિત પામ્યા અને કેટલાકને સંવેગના રંગ લાગ્યા. ૧ ભક્તપરિજ્ઞાઃ એમાં ચાર અથવા ત્રણ આહારના ત્યાગ હોય છે, પણ એમાં હાલવા ચાલવા વિગેરે ચેષ્ટાનેા ત્યાગ ર્હાતા નથી. નુએ નેાટ પૃ. ૨૦૬૯. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy