SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાવ ૬ શેઠની આવી અતિ ઉદાર માગણીની મેં જરાએ કિમત ન કરી કે શેઠનો આભાર સરખે પણ ન માને. માત્ર જૂદી ગાંઠ. ઉત્તરમાં હું એટલું જ બોલ્યો કે-“સુજ્ઞશ્રી! જે આપનો એ જ આગ્રહ છે કે મારે બહારગામ હાલ જવું નહિ તે ભલે, મારી પાસે થોડી પુંજી છે, તે અહીં રહી તે પુંછ વડે તમારાથી જાદો વેપાર કરીશ, ઘર પણ જાદું જ લઈને રહીશ અને દુકાન પણ સુવાંગ જદી જ રાખીશ.” બકુલ શેઠે મારી એ માગણી કબૂલ રાખી, તે વાતને સ્વીકાર કર્યો અને ગમે તેમ કરી દીકરી નજરમુખ રહે તે ઘાટ ઉતાર્યો. સાગરની અસરતળે ઘનશેખર કર્માદાનના નીચ વ્યાપારે. નિરંતર વધતી જતી ધનેચ્છા. ત્યાર પછી મેં વેપાર કરવા માંડ્યો. મારે સાગરમિત્ર અંદર રહીને મને વારંવાર દરેક ક્ષણે પ્રેરણું કર્યા કરતો હતો તેથી દરેક ક્ષણે મારા મનમાં નવા નવા તર્ક વિતર્ક થયા કરતા હતા, ધન મેળવવા માટે મારા મનમાં નવા નવા તરંગો આવતા હતા, જુદા જુદા ધન વધારવાના રસ્તાઓ તરફ મન દોડી જતું હતું, મારી ધર્મબુદ્ધિ તેથી ગળી જતી હતી, ગમે તેમ કરીને ધન મેળવવું એ જ વિચાર રહેતો હતો, મારી દયાળુતા અંદરથી ખસી જતી હતી, સરળતા અને નમ્રતા નાશ પામી જતી હતી, ધન જ આ જગતમાં ગમે તે પ્રકારે સાર છે. પ્રધાન છે, રહસ્ય છે એવી બુદ્ધિ થતી ધન ધન ધન હતી. સામાનું મન રાખવાની જે સ્વાભાવિક દાક્ષિસુતા હોય છે તે મારામાં ઘટતી જતી હતી અને સંતોષ પણ અદશ્ય થતો જતો હતો. જાણે ગમે તે વેપાર કરી ગમે તેમ કરી ધન એકઠું કરું, ધનના ઢગલા કરું, ધનની તીજોરીઓ ભરું, એવા વિચારે આવ્યા કરતા હતા. પછી તે મેં અનાજ લેવા માંડ્યું, અનાજના ૧ જૈન ધર્મ અહિંસાના મૂળ પાયા ઉપર રચાયેલો છે તેથી જ્યાં સુધી બને ત્યાં સુધી જે વ્યાપારમાં હિંસા થતી હોય તે વ્યાપાર શ્રાવકે ન કરવો એવો શાસ્ત્રકારનો આદેશ છે. એવા ન કરવા યોગ્ય વ્યાપારને કર્માદાન કહેવામાં આવે છે. એમાં પાંચ કર્મ છે, પાંચ વાણિજ્ય છે અને પાંચ સામાન્ય છે. એ પંદરને સામાન્ય હેવાલ ગૃહિધર્મના વર્ણન પ્રસંગે પ્રસ્તાવ-૪. પ્ર. ૩૫ પૃ. ૧૦૮૩ માં આપ્યો છે તેથી અત્ર તેનું પુનરાવર્તન કરતા નથી. તે જ હકીકત ક. ૪. પ્ર. ૧૧ ની મહાઆરંભની નોટમાં પણ વિસ્તારથી બતાવેલ છે તે જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy