SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫૨ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [પ્રસ્તાવ ૮ “હવે જે પ્રાણીને મોક્ષ મેળવવો હોય-કર્મથી છૂટાપણું પ્રાપ્ત કરવું હોય તેમણે ચિત્તના અનેક સંકલ્પવિકલ્પ રૂપ જાળને “નિરોધ કરે અને તેમ કરવા માટે રાગદ્વેષ વિગેરેને વિચ્છેદ “કરનાર નાના પ્રકારના ઉપાયોને સતત ઉપયોગ કરે. આ પ્રકારને ઉપાય તીર્થ કે એ બતાવ્યું હોય અથવા જિન“શાસનમાં કથન કર્યો હોય તેમાં વાંધો નથી, તે ઉપાય ભાવતીર્થમાં રહેલ હોવાથી યેયને ભેદ દૂષણ યોગ્ય નથી. દયેયને આગ્રહ નથી, ઉપાય ભાવતીર્થમાં રહેલ હોવો જોઈએ. મતલબ ઉપાય એવા પ્રકારન હોવો જોઈએ કે તેનાથી રાગદ્વેષને વિચ્છેદ થઈ ચિત્તના સંકલ્પ “વિકલ્પો દબાઈ જતા હોવા જોઈએ. આ હકીકત જરા વિચાર કર વાથી બેસી જશે તે તું હમણા જ જોઇશ. એમ કહ્યું છે કે બહારથી “વિશુદ્ધ કર્તવ્ય કરનાર એક્ષ સાધવાની ઇચ્છાવાળા પ્રાણુઓ નાનાપ્રકારનાં દયેયનો આશ્રય કરીને મોક્ષને સાધે છે તેનું કારણ માધ્યસ્થ છે. પરંતુ એમાં વાત એ છે કે પરમાત્મા વિગેરે ધ્યેય “ તરીકે હોય છે તે જેવો સંગ કરે છે, પ્રાણીનાં ચિત્તપર જે અસર ઉપજાવી શકે છે, તેવી અસર બિંદુ વિગેરે (યેયો) ઉપજાવી શક્તા નથી. ચિત્તને જે સુંદર આલંબન મળે તો તેનું સ્વરૂપ તેવું થાય છે અને ખરાબ આલંબન મળે તે તેનું સ્વરૂપ તેવું થાય છે. આ બાન્ડ બત સ્વઅનુભવથી સિદ્ધ છે. “છતાં વાત એમ છે કે જૂદા જૂદા જીવોની રૂચિ જાદા જાદા પ્રકારની હોય છે જેથી કેઇના ચિત્તની શુદ્ધિ કેઇ આલંબને થાય “અને કેઇની શુદ્ધિ બીજાં આલંબને થાય, તેટલા માટે અંતઃકરણની “વિશુદ્ધિ કરનારી જિનમાર્ગની દેશના અનેક પ્રકારના આશયથી “ભરપૂર અનેક પ્રકારની છે. આથી કઈ શુદ્ધ માધ્યચ્યભાવ ધારણું કરનાર વિશુદ્ધ અંતઃકરણશાળી પુન્યાત્માને બિન્દુ વિગેરે (દય “તરીકે) પણ ચિત્તની વિશુદ્ધિ કરનાર થઈ પડે એ બનવા જોગ છે. “ વિશુદ્ધ અંતઃકરણ અને માધ્યય્યના અભાવે કેટલા એ મૂઢ “ પ્રાણીઓ તને જાણે છે છતાં પણ તે તેને વિપરિતપણે પરિણમે છે જેથી તેઓ અર્થ અને કામમાં પ્રવૃત્તિ કરે છે અને અમે બગીઓ એ જ તત્વજ્ઞાનને પરિણામે તદ્દન નિશ્ચિત થઈને ફરીએ “છીએ. આવા રાગદ્વેષના પારવશ્વમાં સપડાયેલા અને મલીન સંત- ૧ પૃ. ૨૦૩૯-૨૦૪૨ સુધી પુડરીક બિંદુઓ વિગેરેની યતા બતાવી છે તે જૈનમતને સંમત છે, પણ પરમાત્માની પ્લેયતા સર્વોત્કૃષ્ટ છે. ધર્મધ્યાન શુકલધ્યાનના ભેદે વિચારવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy