SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૮] આગમને સાર. ૨૦૪૧ વળી કેઇ એમ છે કે પણ અક્ષર જે જે છે તેની ઉપર અને નીચે લેપ કરેલી અગ્નિની શીખા ચાલે તેની જે માત્રા થાય તે અમૃતકળા કહેવાય છે. “વળી બીજાઓ કહે છે કે નાસિકાના અગ્રભાગમાં અથવા બે ભ્રમરની વચ્ચેના ભાગમાં બરફ અથવા મોતીના હાર જેવું ચિખું બિંદુ પડે છે જે બે પ્રકારનું હોય છેઃ ચળ અને સ્થિર. તે બિંદુને ધ્યાનને વિષય કહે છે. એ બિંદુ જ્યારે અગ્નિના મંડપમાં મળે છે ત્યારે લાલ રંગનું થાય છે, પૂર્વ દિશાએ સ્થપાય ત્યારે એ પીળું થાય છે, વાયુ ખુણામાં હોય ત્યારે કાળું થાય છે, પશ્ચિમ દિશાએ સફેત થાય છે, જ્યારે ચિત્ત સુંદર દશામાં હોય ત્યારે પીળું થાય છે અને ક્રોધના તાપમાં હોય ત્યારે લાલ થઈ જાય છે, શત્રુનાશના કાર્યવખતે તે કાળું થઈ જાય છે અને તે ધવળ હોય ત્યારે પુષ્ટિ કરનાર થાય છે. “બીજાઓ વળી કહે છે કે જેઓ મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા હોય તેમણે નાડીમાર્ગ સાધવો જોઈએ, તેઓએ ઈડા અને પિંગળા બન્ને નાડીઓને સંચાર કેવી રીતે થાય છે અને તે પ્રત્યેકનું કામ શું છે તે જાણવું જોઈએ. નાડીચકનો પ્રચાર જમણી તરફ અને ડાબી તરફ કેવી રીતે થાય છે તે પ્રાણીએ બરાબર વૈજ્ઞાનિક રીતે જાણવું જોઈએ અને તે દ્વારાએ-તે જ્ઞાનની મારફત-તે જ્ઞાનથી કાળનું અને બળનું જ્ઞાન બરાબર મેળવવું જોઈએ (આ બાહ્ય જ્ઞાન છે) અને બહુ સારી રીતે પદ્માસન કરીને સુંદર ઘંટનાદ સાંભળ જોઈએ (આ અંતરંગ બાબત છે). “કેટલાકે કારના ઉચ્ચારને પરમ શાંતિ આપનાર માને છે. કેટલાક કહે છે કે નાભિ(ડુંટી)માંથી જે સરળ પ્રાણ (વાયુ) નીકળે છે અને જે કમળના તાતણ જેવો આકાર ધારણ કરે છે તે ધીમી ગતિએ માથાના અંતભાગ સુધી જાય છે, તે માથે તાળવામાં રહેલ બ્રહ્મરંધ્રમાંથી બહાર નીકળી જાય છે તેની બરાબર ચિંતવના કરવી જોઈએ અને તેવી ધીમી ગતિએ વાયુને સંચાર કરાવવો જોઈએ. કેટલાક વળી એમ કહે છે કે સૂર્યમંડળમાં જે આદિપુરૂષ છે (મૂળપુરૂષ છે) અને જે મૂળપુરૂષ છાતીમાં અથવા કમળમાં આવી રહેલ છે તેનું ધ્યાન કરવું જોઈએ. તેને ધ્યેય તરીકે ઓળખો જોઈએ. કેટલાક બુદ્ધિમાનો હદયમાં અથવા આકાશમાં રહેલ નિત્ય (eternal) પરમ પુરૂષ જે અત્યંત શોભાયમાન સંકડો કિરણોથી ભરપૂર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy