SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૯] આગમને સાર. ૨૦૩e સમતભા–આર્ય! આખા જૈન આગમને સાર તદ્દન નિર્મળ ધ્યાનયોગ છે, બધી વાતનું રહસ્ય એ એક શબ્દમાં ધ્યાનયોગ “ આવી જાય છે. એનો હેતુ એ છે કે જૈન શાસ્ત્રમાં ચિત્તશુદ્ધિ “નીતિ વિભાગને અંગે શ્રાવના અને સાધુઓના જે અનેક મૂળગુણો બતાવ્યા છે, જે ઉત્તરગુગે બબતાવ્યા છે, જે જે બાહ્ય ક્રિયાઓ કહી છે, તે સર્વને અંતીમ ભાવ, “સર્વનું લક્ષ્ય ધ્યાનયોગ છે, એ સર્વ ગુણે અને કિયાનો હેતુ ધ્યા“નગ સાધવાનું છે. શાસ્ત્રમાં કહ્યું છે કે મુક્તિને માટે દયાન સિ દ્ધિની જરૂર છે અને તે ધ્યાનની સિદ્ધિ માટે મન:પ્રસાદ સાધવો જઈએ અને તે અહિંસા વિગેરે શુદ્ધ અનુષ્ઠાનથી સાધી શકાય છેઆવી રીતે સર્વ અનુષ્ઠાનનું અંતિમ સાધ્ય મનઃપ્રસાદ થયું એ “તારા સમજવામાં આવ્યું હશે. એટલા ઉપરથી તારા જાણવામાં આવ્યું “હશે કે સર્વ અનુષ્ઠાન ચિત્તશુદ્ધિ માટે કરવાનાં છે. હવે વિશેષ પ્રકારે શુદ્ધ (વિશુદ્ધ) અને એકાગ્ર મન તે સર્વથી ઉત્તમ પ્રકારનું ધ્યાન છે, તેટલા માટે ભાઈ! આખી દ્વાદશાંગીને સાર શુદ્ધ થાનયોગ છે અને જે પ્રાણી મેક્ષ મેળવવાની ઈચ્છા રાખતો હોય તેણે તેને “સાધવું જોઈએ, ધ્યાનયોગને સિદ્ધ કરવો જોઈએ. બાકીના સર્વ જ અનુષ્ઠાને છે અને બીજા જે જે મૂળ અને ઉત્તર ગુણો છે તે સર્વ “એ ધ્યાનયોગનાં અંગ જેવાં છે, એના પેટામાં આવી જાય છે અને તેટલા માટે એ યાનગને સર્વને સાર કહેવામાં આવ્યો છે.” ગુરૂમહારાજનાં આવાં વચન સાંભળીને શાંતાત્મા પુંડરીક મુનિ લલાટે હાથ જોડી ગંભીર સ્વરે બોલ્યા “ભગવદ્ ! જ્યારે હું બાળક હતો ત્યારે પણ મોક્ષમાર્ગના સંબંધમાં મારા દીલમાં ઘણું કૌતુક હતું, તે રસ્તે કેવો હશે તે જાણવાની મને નાની વયમાં પણ ઘણી જિજ્ઞાસા હતી અને તેથી એ બાબતમાં અનેક તીથીઓને મેં સવાલ પૂછયા હતા. હું તેઓને પૂછતો હતો કે “મહાત્મન્ ! ભાગ્યશાળી ! સર્વ બાબતને સારરહસ્ય હોય તેવું અને મોક્ષને આપે તેવું પરમ તત્વ શું છે? જે વાત સર્વથી મહત્વની હોય તે મને સમજા-જણાવો.' મારા આવા સવાલના જવાબમાં તેઓ મને જે અભિપ્રાય આપ હતા તે આ પ્રમાણેઃ “એક એમ કહેતા હતા કે તમે હિંસા કરો-બીજું ગમે તે કરો તેમાં વાંધો નથી, માત્ર મુમુક્ષુ પ્રાણીએ પિતાની બુદ્ધિને લેપ કોઈ પણ બાબતમાં લાગવા દે ન જોઇએ. તેઓ કહેતાં કે - ( ૧ સર્વ ભૂળ ઉત્તર ગુણ-શ્રાવકના અને સાધુના તેમજ સવે બાહ્ય ક્રિયાનો વિષય ચરકરણનુયોગને અંગે છે. એ જૈનનું Ethics, ritualistic portion છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy